ગોકળગઢમાં વિપુલ ચૌધરી બોલ્યા - સમાજને ઘંટડી વગાડવાનો વારો આવ્યો છે
અર્બુદા સેનાના નેજા હેઠળ મહેસાણા જિલ્લામાં આવેલા ગોકળગઢમાં વિપુલ ચૌધરી દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ખેતી બેન્કના પૂર્વ ચેરમેન અને ભાજપ આગેવાન ધીરેન ચૌધરી પણ જોડાયા હતા.
અર્બુદા સેનાના નેજા હેઠળ મહેસાણા જિલ્લામાં આવેલા ગોકળગઢમાં વિપુલ ચૌધરી દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ખેતી બેન્કના પૂર્વ ચેરમેન અને ભાજપ આગેવાન ધીરેન ચૌધરી પણ જોડાયા હતા. ગોકળગઢમાં વિપુલ ચૌધરી દ્વારા યોજાયેલી સભામાં સાકર તુલા પણ કરવામાં આવી હતી. આ સભામાં વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, એક સમયે સરકારમાં જે સમાજના બે મંત્રીઓ હતા એ ચૌધરી સમાજ આજે ઘંટડી વગાડી રહ્યો છે.

મહેસાણા જિલ્લામાં વિવિધ સ્થળો પર વિપુલ ચૌધરી સતત સભાઓ યોજી રહ્યા છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં મહેસાણા જિલ્લામાં આવેલા જોટાણા તાલુકાના ગોકળગઢ ગામ ખાતે અર્બુદા સેના મહેસાણાના નેજા હેઠળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં વિપુલ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોતાની પાર્ટી હોવા છતાંપણ ચૌધરી સમાજ આજે ઘંટડી વગાડી રહ્યો છે.
વિપુલ ચૌધરી વધુમાં જણાવ્યું હતું કે, એક સમયે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં આંજણા મંત્રી હતા. આજે કોંગ્રેસના 2 MLA હોવા છતાં ઘંટડી વગાડવાનો વારો આવ્યો છે. જોટાણા તાલુકામાં આવેલા ગોકળગઢ ગામ ખાતે યોજાયેલી સભામાં વિપુલ ચૌધરીની સાકર તુલા કરાઇ હતી. આ સભાઓ થકી જિલ્લામાં પ્રસરેલી અસહકારની ભાવના સામે સહકારની ભાવના લાવવા તેમજ ખાનગી ડેરીઓમાં જતા દૂધને સહકારમાં લાવવાના પ્રયાસ માટે કરતા હોવાનો વિપુલ ચૌધરીએ સૂર આલાપ્યો છે.
વિપુલ ચૌધરીની આ વાતનું સમર્થન ખેતી બેંકના પૂર્વ ચેરમેન અને ભાજપ આગેવાન ધીરેન ચૌધરીએ કર્યું છે. આ સાથે જ ધીરેન ચૌધરી દ્વારા કેટલીક રાજકીય આંટીઘૂંટીમાં સમાજને પડેલી સમસ્યાઓ વિશે રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત વિપુલ ચૌધરી દ્વારા આ સભામાં "એક સમયે ભારત સરકાર અને રાજ્ય સરકારમાં આંજણો મંત્રી હતો, જોકે આજે કોંગ્રેસના 2 ધારાસભ્યો હોવા છતા સમાજને ઘંટડી વગાડવાનો વારો આવ્યો છે, માટે સંશોધન કરી આગળની રણનીતિ ઘડીશું" તેવું નિવેદન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દૂધ સાગર ડેરીમાં શાસકો અને પૂર્વ શાસકો વચ્ચે સર્જાયેલો વિવાદે ભારે જોર પકડ્યું હતું. આ વચ્ચે વિપુલ ચૌધરી દ્વારા ગુંજા ગામ ખાતે અર્બુદા સેનાની રચના કરવામાં આવી હતી. જે બાદ ખેરાલુ , વડનગર અને સતલાસણા તાલુકાના સંયુક્ત સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓને સાથે રાખી વિપુલ ચૌધરી દ્વારા હાલની દૂધ સાગર સામે દૂધસાગર સૈનિકો તૈયાર કરવામાં આવ્યા હતા.
આ સભામાં વિપુલ ચૌધરીએ હાલના શાસકો દ્વારા પાંચ વર્ષ અગાઉ વહીવટદારમાં શાસનમાં પણ 1.50 કરોડનો ચેક આપી રોકડ ઉપાડી લીધી હોવાની ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપો કરી તેનું વળતર મેળવવા માટે દૂધ સાગર સૈનિકો અને અર્બુદા સેનાને ઠરાવ પસાર કરી તંત્રને આપી કાર્યવાહી કરાવવા આહ્વાન કરવામાં આવ્યું છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
