કુતિયાણાના માંથી વધુ એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું
પોરબંદર જિલ્લાના કુતિયાણાના જાપા વિસ્તાર એક નવજાત શિશુ મૃત હાલત મળી આવ્યો હતો.
પાપને છુપાવવા માટે નવજાત શિશુને ફેંકી દેવામાં આવે છે. ગર્ભને પાડી દેવામાં આવે છે. પોરબંદર જિલ્લાના કુતિયાણાના જાપા વિસ્તાર માંથી આજે વધુ નવજાત શિશુ મૃત હાલત મળી આવ્યો હતો. પોલીસે જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી નવજાત શિશુના મૃતદેહને કબજો લઇ પીએમ માટે ખસેડ્યો હતો. અજાણ્યા ઈશ્મો વિરુદ્ધ હત્યા ગુનો નોંધી તપાસ હાથધરી છે

પોરબંદર શહેરમાં થોડા દિવસ અગાઉ એક નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યો હતો. આજે કુતિયાણા માંથી વધુ એક નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. જિલ્લામાં છેલ્લા ૨ મહિના ૩ નવજાત બાળકના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચી નથી શકી.












Click it and Unblock the Notifications
