સાયક્લોન વાયુઃ AAIએ ગુજરાતના આ એરપોર્ટ પર ફરીથી શરૂ કરી સેવાઓ
એએઆઈએ ચક્રવાતના કારણે બંધ કરેલ એરપોર્ટની સ્થિતિ વિશે સમીક્ષા કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમુક એરપોર્ટ પર ગુરુવારે રાતે 12 વાગ્યાથી હવાઈ સેવાઓ ફરીથી શરૂ થઈ.
ગુજરાતના ચક્રવાતી તોફાન 'વાયુ'નો ખતરો ટળી ગયો છે. ચક્રવાતી તોફાન વાયુએ પોતાની દિશા બદલી દીધી છે અને હવે તે ગુજરાતમાં લેંડફોલ નહિ કરે. હવામાન વિભાગની આ જાણકારી બાદ હવે એએઆઈએ ચક્રવાતના કારણે બંધ કરેલ એરપોર્ટની સ્થિતિ વિશે સમીક્ષા કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમુક એરપોર્ટ પર ગુરુવારે રાતે 12 વાગ્યાથી હવાઈ સેવાઓ ફરીથી શરૂ થઈ. તમને જણાવી દઈએ કે વાયુ તોફાનો ભલે દિશા બદલી હોય પરંતુ રાજ્યને સાવચેતી રૂપે 24 કલાક સુધી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યુ છે.

ગુરુવારે સાંજે એએઆઈ તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે એરપોર્ટની સ્થિતિની સમીક્ષા બાદ ગુરુવારે રાતે 12 વાગ્યાથી કંડલા અને કેશોદ હવાઈ મથકો પર પરિચાલન ફરીથી શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત દીવ અને પોરબંદર એરપોર્ટ પર પણ શુક્રવારે સવારે 10 વાગ્યાથી સામાન્ય હવાઈ સેવાઓ શરૂ થઈ જશે. ભાવનગર એરપોર્ટને બંધ રાખવાનો નિર્ણય શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી માટે જળવાઈ રહેશે. ત્યારબાદ ત્યાં પણ સામાન્ય સ્થિતિ શરૂ થઈ જશે.
Airports Authority of India: AAI reviewed the status of its airports in Gujarat in wake of #CycloneVayu. Kandla & Keshod airports to resume normal flight operations from 12 midnight today. Normal flight operations will resume at Bhavnagar airport from 6 am tomorrow. pic.twitter.com/tGLVEgQDi0
— ANI (@ANI) 13 June 2019
તમને જણાવી દઈએ કે આધારભૂત સંરચનાને નુકશાનથી બચાવવા માટે એએઆઈએ બુધવારે 24 કલાક માટ પોરબંદર, દીવ, ભાવનગર, કેશોદ અને કંડલા હવાઈ મથકો પર વિમાનોનું પરિચાલન રોકી દીધુ હતુ. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચક્રવાતી તોફાન વાયુ પર થયેલી બેઠકમાં કહ્યુ છે કે હવામાન વિભાગની માહિતી અનુસાર ગુજરાત પર ખતરો બનીને આવી રહેલ ચક્રવાત વાયુ હવે ઓમાન તરફ વળી ગયુ છે. પરંતુ તેમછતાં આગામી 24 કલાક ગુજરાત માટે મહત્વના રહેશે. આ દરમિયાન સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફની ટીમો હાઈ એલર્ટ પર રહેશે. પ્રભાવિત 10 જિલ્લાઓના બધી શાળા, કોલેજે શુક્રવારે પણ બંધ રહેશે. ગુજરાતમાં સાંજે ચાર વાગ્યા આસપાસ 28 તાલુકામાં વરસાદ થયો. વાયુથી પ્રભાવિત કુલ 2,251 ગામોમાં વિજળી ડૂલ છે. વળી, લગભગ 1924 ગામોમાં વિજળી ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ






Click it and Unblock the Notifications
