પોરબંદરના રાણાવાવની સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત, 10 કામદારોના મોત
પોરબંદરના રાણાવાવની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માકત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 મજૂરોના મોત થયા છે. ચીમની રિપેરિંગ વખતે આ દુર્ઘટના સર્જાઇ હતી. ચીમની રિપેરિંગ સમયે 17 મજૂરો રિપેરિંગ કામ કરતા હતા. બપોરે 3 કલાકની ઘટનાની જ
પોરબંદરના રાણાવાવની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માકત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 મજૂરોના મોત થયા છે. ચીમની રિપેરિંગ વખતે આ દુર્ઘટના સર્જાઇ હતી. ચીમની રિપેરિંગ સમયે 17 મજૂરો રિપેરિંગ કામ કરતા હતા. બપોરે 3 કલાકની ઘટનાની જાણ તંત્રને સાંજે કરાઈ હતી. આ દુર્ઘટનાને પગલે કલેક્ટર, પોલીસ વડા ફેક્ટરીએ પહોંચ્યા છે.
Recommended Video

ગુજરાત : સિમેન્ટ ફેક્ટરીમાં 85 ફૂટ ઊંચી ચિમનીના સમારકામ માટે બાંધેલો માચડો તૂટી પડતા 5-6 મજૂરો દટાયાની આશંકા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદર જિલ્લામાં સિમેન્ટ ફેકટરીમાં થયેલી દુર્ઘટના અંગે જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને આ દુર્ઘટનામાં બચાવ રાહત અને સત્વરે યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા મદદ માટેની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ એન.ડી.આર.એફ.ની 2 ટીમ પણ આ કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપવાની સંબંધિતોને સૂચના આપી છે. નોંધનીય છેકે આ અભિનેત્રી જુહી ચાવલાના પતિની આ ફેક્ટરી છે.












Click it and Unblock the Notifications
