For Quick Alerts
For Daily Alerts
મુંબઇ-અમદાવાદ હાઇવે પર બસ અકસ્માતમાં 14 લોકોના મોત
પાલઘર પોલીસ મથકના એક અધિકારના જણાવ્યા અનુસાર મુંબઇથી લગભગ 110 કિલોમીટર મનોર નજીક સવારે લગભગ સાત વાગે અમદાવાદ-મુંબઇ બસ અને એક ટ્રક વચ્ચે ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો.
બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં બસ નદીમાં પડી ગઇ હતી. તેમાં હજુ મુસાફરો ફસાયેલા છે. મૃતકોની સંખ્યા વધુ હોય શકે છે કારણ કે કેટલાક મુસાફરો હજુ બસમાં ફસાયેલા છે. રાહતકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટાભાગના મુસાફરો ગુજરાતના હોવાનું જાણવા મળ્યું છે.
Comments
English summary
At least 14 people were killed and 36 others injured in a collision between a private bus and a tanker at Medvan Khind on the Mumbai-Ahmedabad Highway today.