For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ-અમદાવાદ હાઇવે પર બસ અકસ્માતમાં 14 લોકોના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

accident
અમદાવાદ, 29 મે: મહારાષ્ટ્રના થાણે જિલ્લામં બુધવારે એક બસ અને ટ્રક વચ્ચે ટક્કર થયા બાદ બસ નદીમાં પડવાથી લગભગ 14 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 32 લોકોને ઇજા પહોંચી છે. આ અકસ્માત મુંબઇ-અમદાવાદ હાઇવે પર થાણેના મનોર પાસે સર્જાયો હતો.

પાલઘર પોલીસ મથકના એક અધિકારના જણાવ્યા અનુસાર મુંબઇથી લગભગ 110 કિલોમીટર મનોર નજીક સવારે લગભગ સાત વાગે અમદાવાદ-મુંબઇ બસ અને એક ટ્રક વચ્ચે ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો.

બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં બસ નદીમાં પડી ગઇ હતી. તેમાં હજુ મુસાફરો ફસાયેલા છે. મૃતકોની સંખ્યા વધુ હોય શકે છે કારણ કે કેટલાક મુસાફરો હજુ બસમાં ફસાયેલા છે. રાહતકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટાભાગના મુસાફરો ગુજરાતના હોવાનું જાણવા મળ્યું છે.

English summary
At least 14 people were killed and 36 others injured in a collision between a private bus and a tanker at Medvan Khind on the Mumbai-Ahmedabad Highway today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X