For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૃષિમંત્રીના હસ્તે અકસ્માત વિમાના લાભાર્થિઓને 21.72 લાખના ચેક અર્પણ કરાયો

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ૪ લાભાર્થીઓને ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત રૂ. ૨૧.૭૨ લાખની રકમના ચેક ફાળવવામાં આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ૪ લાભાર્થીઓને ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત રૂ. ૨૧.૭૨ લાખની રકમના ચેક ફાળવવામાં આવ્યા હતા.

Bhupendra patel

જામનગર તાલુકાના ખંભાલીડા ગામના ખાતેદાર ખેડૂત સ્વ. ભગવાનજીભાઈ મેઘાભાઈ મુંગરાનું અકસ્માતે અવસાન થતાં તેમના વારસદાર જયાબેન ભગવાનજીભાઈ મુંગરાને રૂ. ૫.૪૨ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. લાવડીયા ગામના ખાતેદાર ખેડૂત સ્વ. માધુભા બહાદુરસિંહ જાડેજાના વારસદાર રંજનબા માધુભા જાડેજાને રૂ. ૫.૪૦ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. દડીયા ગામના ખેડૂત સ્વ. કાંતિલાલ ગોરધનભાઈ નંદાના વારસદાર મધુબેન કાંતિલાલ નંદાને રૂ. ૫.૪૪ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. તેમજ બાલંભડીના ખેડૂત સ્વ. ટીલુભા તખુભા જાડેજાના વારસદાર પ્રસન્નબા ટીલુભા જાડેજાને રૂ. ૫.૪૪ લાખની સહાય મળીને કુલ રૂ. ૨૧.૭૨ લાખના સહાય ચેક કૃષિમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જામનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી પ્રવિણસિંહ ઝાલા, જામનગર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેનશ્રી જમનભાઈ ભંડેરી, સેક્રેટરીશ્રી હિતેષભાઇ પટેલ, અન્ય સદસ્યશ્રીઓ અને લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

English summary
A check of 21 lakhs was presented to the beneficiary of the Jamnagar accident plane
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X