અમદાવાદ: સેટેલાઇટ ખાતે બંગલામાંથી 9.30 લાખના દાગીનાની ચોરી
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી જ્યોતિકળશ સોસાયટીના બંગલોમાં રહેતા વેપારીના ઘરે તસ્કરોએ રૂપિયા 9.30 લાખની મત્તાની ચોરી કર્યાની ઘટના સેટેલાઇટ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી જ્યોતિકળશ સોસાયટીના બંગલોમાં રહેતા વેપારીના ઘરે તસ્કરોએ રૂપિયા 9.30 લાખની મત્તાની ચોરી કર્યાની ઘટના સેટેલાઇટ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. આ બનાવની વિગત એવી છે કે, કેશવચંદ્ર ભલ્લા (ઉં.54) તેમના પરિવાર સાથે જ્યોતિકળશ સોસાયટી બંગલા નંબર 104 માં સેટેલાઇટ વિસ્તારમાં રહે છે. ગુરૂવારે કેશવ ચંદ્ર અને તેમનો પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે નરોડા ગયા હતા. રાત્રે 8 વાગ્યાના સુમારે પરત આવ્યા ત્યારે જોયું તો બેડરૂમની બારી તૂટેલી હતી અને તિજોરીમાંથી રૂપિયા 9.30 લાખની કિંમતના સોના, ચાંદી, હીરાના દાગીના ગાયબ હતા.

આ ચોરી દિવસના સમયે અને પરિવારનું કોઇ સભ્ય ઘરમાં હાજર ન હોય ત્યારે થઇ હતી. વળી બેડરૂમની બારી તોડીને તસ્કરો અંદર આવ્યા હતા, આથી પોલીસનું કહેવું છે કે, કોઈ જાણભેદુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસે સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ પણ શરૂ કરી છે, તેમજ માળીની પણ તપાસ કરવામાં આવી રહી છે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
