અક્ષરધામ હુમલાના માસ્ટમાઇન્ડને અ'વાદ ક્રાઇમ બ્રાંચે પકડ્યો
અમદાવાદના આંતરાષ્ટ્રીય હવાઇ મથક પરથી અક્ષરધામ હુમલાનો માસ્ટમાઇન્ડ અબ્દુલ રશીદ અજમેરીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યો છે. વધુ વાંચો અહીં.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજે અક્ષરધામ પર આતંકી હુમલો કરાવનાર તેના માસ્ટમાઇન્ડ અબ્દુલ રશીદ અજમેરીને અમદાવાદના આંતરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. અને આ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. સાઉદી અરબથી પરત ફરતી વખતે અમદાવાદમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 25 સપ્ટેમ્બર 2002ની સાંજે અક્ષરધામ પર બે સશસ્ત્ર આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 32 લોકોની મોત થઇ હતી અને 79 ઇજાગ્રસ્ત થયા હતા.

ત્યારે સાઉદી અરબ છોડી ગુજરાતમાં ખતરો હોવા છતાં 15 વર્ષ પછી અજમેરી કેમ ગુજરાત પરત ફર્યો તે સવાલ તમામ લોકોના મનમાં થઇ રહ્યો છે. ત્યારે પોલીસે પણ આ અંગે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આવા પ્લાનને અંજામ આપનાર માસ્ટમાઇન્ડ ગુજરાતમાં કેમ આવ્યો તે અંગે તેની સખત પૂછપરછ કરવામાં આવશે.
More From
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી











Click it and Unblock the Notifications
