અક્ષરધામ હુમલાના માસ્ટમાઇન્ડને અ'વાદ ક્રાઇમ બ્રાંચે પકડ્યો
અમદાવાદના આંતરાષ્ટ્રીય હવાઇ મથક પરથી અક્ષરધામ હુમલાનો માસ્ટમાઇન્ડ અબ્દુલ રશીદ અજમેરીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યો છે. વધુ વાંચો અહીં.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજે અક્ષરધામ પર આતંકી હુમલો કરાવનાર તેના માસ્ટમાઇન્ડ અબ્દુલ રશીદ અજમેરીને અમદાવાદના આંતરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. અને આ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. સાઉદી અરબથી પરત ફરતી વખતે અમદાવાદમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 25 સપ્ટેમ્બર 2002ની સાંજે અક્ષરધામ પર બે સશસ્ત્ર આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 32 લોકોની મોત થઇ હતી અને 79 ઇજાગ્રસ્ત થયા હતા.

ત્યારે સાઉદી અરબ છોડી ગુજરાતમાં ખતરો હોવા છતાં 15 વર્ષ પછી અજમેરી કેમ ગુજરાત પરત ફર્યો તે સવાલ તમામ લોકોના મનમાં થઇ રહ્યો છે. ત્યારે પોલીસે પણ આ અંગે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આવા પ્લાનને અંજામ આપનાર માસ્ટમાઇન્ડ ગુજરાતમાં કેમ આવ્યો તે અંગે તેની સખત પૂછપરછ કરવામાં આવશે.
More From
-
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર





Click it and Unblock the Notifications
