Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નરેન્દ્ર મોદીની બીજી યાદીમાંથી પણ 'સદભાવના' ગાયબ

narendra-modi-cap
અમદાવાદ, 29 નવેમ્બર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારની યાદી પર કોંગ્રેસે પ્રશ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે નરેન્દ્ર મોદીની યાદીમાંથી લઘુમતીઓ ગાયબ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે અત્યાર સુધી બે યાદી જાહેર કરી છે પરંતુ બંને યાદીમાં એકપણ લઘુમતીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પ્રથમયાદીમાં 84 અને બીજી યાદીમાં 89 નામ જાહેર કરવામાં આવ્યાં છે.

એમ લાગી રહ્યું છે કે મોદીની સદભાવના કામ આવી નથી. ઉમેદવારોની બંને યાદીમાં લઘુમતીઓના નામ ગાયબ થઇ ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એકપણ લઘુમતીને ટિકિટ આપી નથી. કોંગ્રેસે આ મુદ્દે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે ભાજપનો આ અસલી ચહેરો છે. જ્યારે ભાજપનું કહેવું છે કે પાર્ટી ધર્મ અને જાતિના આધારે ટિકિટ આપતી નથી.

અમિત શાહને ટિકિટ આપવામાં આવતાં કોંગ્રેસે પ્રશ્નો ઉભા કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર કેસમાં ફસાયેલા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ પર ભાજપ અને નરેન્દ્ર મોદીને પૂરો વિશ્વાસ મૂક્યો છે.

2002 અને 2007માં અમદાવાદના સરખેજ વિધાનસભા ક્ષેત્રમાંથી વિજેતા બનેલા અમિત શાહને નરેન્દ્ર મોદીએ નારણપુરા વિધાનસભાક્ષેત્રેથી મેદાનમાં ઉતાર્યા છે. સોહરાબુદ્દિન બનાવટી એન્કાઉન્ટર કેસના કારણે અમિત શાહને 2010 રાજ્યના ગૃહમંત્રીનું પદ ગુમાવ્યું હતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્રારા વર્ષોથી લઘુમતી સાથે અન્યાય થતો આવ્યો છે, ભાજપે વર્ષ 1995 થી માંડીને 2007 સુધી આ પરંપરા જાળવી રાખી છે.

ભૂતકાળમાં એક નજર કરીએ તો વર્ષ 1995 પછીની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં એક પણ લધુમતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. વારંવાર તેમની સાથે અન્યાય થતો જોવા મળ્યો છે. ત્યારબાદ ભાજપે ૨૦૦૭ સુધી પોતાની આ નિતી જાળવી રાખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1995માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લધુમતી કોમના ઉમેદવાર ઉસ્માન ગની દેવડીવાલાએ અપક્ષ તરીકે પોતાની વિજય પતાકા લહેરાવી હતી. પરંતુ 1998માં જ્યારે કેશુભાઈ પટેલ પોતે શંકરસિંહ વાઘેલાના બળવા બાદ ફરી ચુંટણી લડી રહ્યા હતા. ત્યારે પાંચ લઘુમતી કોમના ઉમેદવારો વિધાનસભાની ચુંટણીમાં ચુંટાયા હતા. જે પૈકી ચાર કોંગ્રેસના ધારાસભ્ય હતા.

2002માં ફાટી નિકળેલા ગોધરાકાંડના રમખાણો બાદ લઘુમતી સમુદાયના માત્ર ઉમેદવારો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી શક્યા છે. જ્યારે તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ચાર લધુમતી સમુદાયના ધારાસભ્યો છે. અત્રે નોંધનીય છે કે તે તમામ ઉમેદવારો કોંગ્રેસના છે.

જે પૈકી ઇકબાલ પટેલને કોંગ્રેસ પક્ષના મુખ્ય દંડક તરીકે નિમવામાં આવ્યાં છે. જ્યારે અન્ય લઘુમતી મુસ્લિમના ધારાસભ્યોમાં પીરઝાદા મેહમૂદ જાવેદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શેખ મોહંમદ ફારુક(કાલુપુર) અને ગ્યાસુદિન શેખ(શાહપુર)નો સમાવેશ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X