નરેન્દ્ર મોદીની બીજી યાદીમાંથી પણ 'સદભાવના' ગાયબ

એમ લાગી રહ્યું છે કે મોદીની સદભાવના કામ આવી નથી. ઉમેદવારોની બંને યાદીમાં લઘુમતીઓના નામ ગાયબ થઇ ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એકપણ લઘુમતીને ટિકિટ આપી નથી. કોંગ્રેસે આ મુદ્દે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે ભાજપનો આ અસલી ચહેરો છે. જ્યારે ભાજપનું કહેવું છે કે પાર્ટી ધર્મ અને જાતિના આધારે ટિકિટ આપતી નથી.
અમિત શાહને ટિકિટ આપવામાં આવતાં કોંગ્રેસે પ્રશ્નો ઉભા કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર કેસમાં ફસાયેલા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ પર ભાજપ અને નરેન્દ્ર મોદીને પૂરો વિશ્વાસ મૂક્યો છે.
2002 અને 2007માં અમદાવાદના સરખેજ વિધાનસભા ક્ષેત્રમાંથી વિજેતા બનેલા અમિત શાહને નરેન્દ્ર મોદીએ નારણપુરા વિધાનસભાક્ષેત્રેથી મેદાનમાં ઉતાર્યા છે. સોહરાબુદ્દિન બનાવટી એન્કાઉન્ટર કેસના કારણે અમિત શાહને 2010 રાજ્યના ગૃહમંત્રીનું પદ ગુમાવ્યું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્રારા વર્ષોથી લઘુમતી સાથે અન્યાય થતો આવ્યો છે, ભાજપે વર્ષ 1995 થી માંડીને 2007 સુધી આ પરંપરા જાળવી રાખી છે.
ભૂતકાળમાં એક નજર કરીએ તો વર્ષ 1995 પછીની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં એક પણ લધુમતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. વારંવાર તેમની સાથે અન્યાય થતો જોવા મળ્યો છે. ત્યારબાદ ભાજપે ૨૦૦૭ સુધી પોતાની આ નિતી જાળવી રાખી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1995માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લધુમતી કોમના ઉમેદવાર ઉસ્માન ગની દેવડીવાલાએ અપક્ષ તરીકે પોતાની વિજય પતાકા લહેરાવી હતી. પરંતુ 1998માં જ્યારે કેશુભાઈ પટેલ પોતે શંકરસિંહ વાઘેલાના બળવા બાદ ફરી ચુંટણી લડી રહ્યા હતા. ત્યારે પાંચ લઘુમતી કોમના ઉમેદવારો વિધાનસભાની ચુંટણીમાં ચુંટાયા હતા. જે પૈકી ચાર કોંગ્રેસના ધારાસભ્ય હતા.
2002માં ફાટી નિકળેલા ગોધરાકાંડના રમખાણો બાદ લઘુમતી સમુદાયના માત્ર ઉમેદવારો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી શક્યા છે. જ્યારે તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ચાર લધુમતી સમુદાયના ધારાસભ્યો છે. અત્રે નોંધનીય છે કે તે તમામ ઉમેદવારો કોંગ્રેસના છે.
જે પૈકી ઇકબાલ પટેલને કોંગ્રેસ પક્ષના મુખ્ય દંડક તરીકે નિમવામાં આવ્યાં છે. જ્યારે અન્ય લઘુમતી મુસ્લિમના ધારાસભ્યોમાં પીરઝાદા મેહમૂદ જાવેદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શેખ મોહંમદ ફારુક(કાલુપુર) અને ગ્યાસુદિન શેખ(શાહપુર)નો સમાવેશ થાય છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
