ગુજરાતના અમદાવાદમાં અમિત શાહનો રોડ શૉ, લોકોની ભારે ભીડ જમા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં મેગા રોડ શૉ કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં મેગા રોડ શૉ કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. અમિત શાહનો આ રોડ શૉ સાણંદમાં 12 વાગ્યે શરુ થયો હતો. આ પહેલા તેમને ઘાટલોડિયા, બોડકવેદ, સેટેલાઇટ વિસ્તારમાં લોકોને સંબોધિત કર્યા, જયારે બીજી બાજુ પીએમ મોદી પણ ગુજરાતના પ્રવાસે છે. તેમને પાટણમાં જનસભા સંબોધિત કરી. ત્યારપછી પીએમ મોદીએ રાજસ્થાનમાં ચિતોડગઢ અને બાડમેરમાં પણ રેલીઓને સંબોધન કર્યું.

ગુજરાતના પાટણમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમારી સરકારમાં ધમાકા કરનાર ગેંગ જમ્મુ કાશ્મીર સુધી જ સીમિત થઇ ગઈ. દેશ 26/11 હુમલા પછી આતંકીઓને જોરદાર જવાબ આપવા માંગતો હતો, પરંતુ ત્યારની સરકારે હિમ્મત નહીં બતાવી. પરંતુ જયારે અમારી સરકારમાં ઉરી અને પુલવામાં જેવી ઘટના થઇ ત્યારે અમે સેનાને ખુલી છૂટ આપી દીધી. આતંકીઓને જવાબ આપવામાં આવ્યો અને એર સ્ટ્રાઇક પછી તેમનો ખેલ ખતમ કરવામાં આવ્યો.
આ પણ વાંચો: લાફાકાંડ બાદ હાર્દિકઃ ભાજપવાળા મને મારવા ઈચ્છે છે, ગુજરાત માટે લડતો રહીશ
પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે આજે અમે એવી મિસાઈલ તૈયાર કરી લીધી છે, જે અંતરિક્ષમાં મારી શકે છે. ભારત આજે દુનિયાની ચોથી મહાશક્તિ બની ચૂક્યું છે. અમે સશક્ત અને સમૃદ્ધ દેશ બનાવવા માંગીયે છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે આટલા વર્ષો સુધી સરકાર ચલાવી પરંતુ જયારે આ ચાવાળો પ્રધાનમંત્રી બન્યો તો 5 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 11 નંબરથી 5માં નંબર પર આવી.
આ પણ વાંચો: વિપક્ષીઓએ રાહુલની જે છબી બનાવી છે તે સત્યથી ઘણી દૂર છેઃ પ્રિયંકા ગાંધી
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
