Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સસ્તા અનાજના દુકાનદારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ગુજરાત સરકારે રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોની સસ્ટેઈનેબિલિટી માટે એક સારો નિર્ણય કર્યો છે.

Cheap Grain Shop

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે માહિતી આપતા જણાવ્યુ કે, કહ્યું કે, રાજ્યમાં વાજબી ભાવની દુકાનો પૈકી જે દુકાનદાર કાયમી હોય, NFSA રેશનકાર્ડની સંખ્યા ૩૦૦ થી ઓછી હોય અને તેની પાસે અન્ય કોઈ નિયમિત દુકાનનો ચાર્જ ન હોય, આવી દુકાનો પૈકી જેમની દુકાનોમાં કમિશનની રકમ 20 હજારથી ઓછી થતી હોય તેવી દુકાનોને પોષણક્ષમ આવક મળી રહે તે માટે ઘટતી રકમ રાજ્ય સરકાર દ્વારા આપવાનો નિર્ણય લેવાયો છે.

તેમણે જણાવ્યુ કે, રાજ્યભરના વાજબી ભાવના દુકાનદારો દ્વારા નાગરિકોના હિતમાં આગામી તહેવારોને ધ્યાને રાખીને આજથી જ સસ્તા અનાજના જથ્થાનું વિતરણ નિયમિત રીતે ચાલુ કરવામાં આવશે.

આ સિવાય રવિવારે પણ દુકાનદારો અનાજ વિતરણની કામગીરી ચાલુ રાખે તેવી અપીલ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, રાજ્યના આવા દુકાનદારોને માસિક 20 હજારની આવક થઈ શકે તે માટે દુકાનદારોને મળતા કમિશનમાં રાજ્ય સરકાર તરફથી 20 હજાર સામે પડતી ફક્ત ઘટતી રકમ પુરતો વાર્ષિક ૩૫.૫૩ કરોડનો વધારાનો બોજો રાજ્ય સરકાર પર પડશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X