ઉત્તર ભારતીયોમાં ભયનો માહોલ, 20 હજાર લોકોના પલાયનનો દાવો
ઉત્તર ભારતીયોમાં ભયનો માહોલ, 20 હજાર લોકોના પલાયનનો દાવો
અમદાવાદઃ ગુજરાતમાં પાછલા કેટલાક દિવસથી ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાને પગલે સૌકોઈને હેરાન કરી દીધા છે. ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને આ હુમલામાં શિકાર બનાવવામાં આવી રહ્યા છે. આ બંને પ્રદેશોના લોકોએ ડરને પગલે ગુજરાત છોડવા માટે મજબૂર કરી દીધા છે. જણાવી દઈએ કે ઢુંઢરમાં 14 માસની બાળકી પર દુષ્કર્મ થાયા બાદ ગુજરાતમાં રહેતા તમામ પરપ્રાંતિયો પરના હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. જેને પગલે પરપ્રાંતિઓ નોકરી છોડીને પોતાના પતન પરત ફરી રહ્યા છે.

450 લોકોની ધરપકડ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે પાછલા 48 કલાકમાં કોઈપણ હિંસાની ઘટના થઈ નથી. પરંતુ સીએમનો આ દાવો ફેલ થતો જોવા મળી રહ્યો છે જ્યારે સમાચાર આવ્યા કે અમદાવાદમાં લગભગ 47 ઉત્તર ભારતીયોને બંધક બનાવી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં રહેતા પ્રવાસીઓ પર કરેલ હુમલાને લઈને પોલીસે 35 FIR દાખલ કરી લગભગ 450 લોકોની ધરપકડ કરી લીધી છે.

20 હજાર ઉત્તર ભારતીયોએ પલાયન કર્યું
ઉત્તર ભારતીય વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશ સિંહ કુશવાહાએ દાવો કર્યો છે કે પાછલા એક અઠવાડિયામાં ગુજરાથી લગભગ 20 હજાર ઉત્તર ભારતીયોએ પલાયન કર્યું છે. ત્યારે બિહારના ખાગરિયામાં સાંસદ પપ્પૂ યાદવે રેલી કાઢીને આ હુમલાની નિંદા કરી. ઉલ્લેખનીય છે કેગુજરાત સાબરકાંઠા જિલ્લામાં 14 મહિનાની બાળકીને બળાત્કારની ઘટના બાદ બિન ગુજરાતીઓ પરના હુમલા શરૂ થઈ ગયા હતા. જે બાદ કેટલાય ક્ષેત્રોમાંથી યૂપી-બિહારના લોકોએ પલાયન શરૂ કરી દીધું છે.

બાળકી પર દુષ્કર્મ બાદ બની ઘટના
આ હુમલાઓને જોતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના સીએમ નીતિશ કુમારે ગુજરાત સીએમ સાથે વાત કરી અને સુરક્ષાની ખાતરી કરાવી. બંનેએ નિવેદન આપ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીએ આકરા પગલાં લેવાનો ભરોસો આપ્યો છે. આ વચ્ચે સોમવારે સાંજ જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો, જ્યાં કેટલાક લોકો ઉત્તર ભારતીયોને નિશાન બનાવી રહ્યા છે. તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવાયું
સોમવારે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપ જાડેજાએ કહ્યું કે હજુ સુધી 450થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે અને ફરિયાદોનો તુરંત નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ હુમલાઓને કારણે ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીયોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે. સોમવારે વડોદરાથી પરત જઈ રહેલા લોકોને એમનું નામ પૂછી તેમની સાથે મારપીટ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
