ઉત્તર ભારતીયોમાં ભયનો માહોલ, 20 હજાર લોકોના પલાયનનો દાવો
ઉત્તર ભારતીયોમાં ભયનો માહોલ, 20 હજાર લોકોના પલાયનનો દાવો
અમદાવાદઃ ગુજરાતમાં પાછલા કેટલાક દિવસથી ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાને પગલે સૌકોઈને હેરાન કરી દીધા છે. ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને આ હુમલામાં શિકાર બનાવવામાં આવી રહ્યા છે. આ બંને પ્રદેશોના લોકોએ ડરને પગલે ગુજરાત છોડવા માટે મજબૂર કરી દીધા છે. જણાવી દઈએ કે ઢુંઢરમાં 14 માસની બાળકી પર દુષ્કર્મ થાયા બાદ ગુજરાતમાં રહેતા તમામ પરપ્રાંતિયો પરના હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. જેને પગલે પરપ્રાંતિઓ નોકરી છોડીને પોતાના પતન પરત ફરી રહ્યા છે.

450 લોકોની ધરપકડ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે પાછલા 48 કલાકમાં કોઈપણ હિંસાની ઘટના થઈ નથી. પરંતુ સીએમનો આ દાવો ફેલ થતો જોવા મળી રહ્યો છે જ્યારે સમાચાર આવ્યા કે અમદાવાદમાં લગભગ 47 ઉત્તર ભારતીયોને બંધક બનાવી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં રહેતા પ્રવાસીઓ પર કરેલ હુમલાને લઈને પોલીસે 35 FIR દાખલ કરી લગભગ 450 લોકોની ધરપકડ કરી લીધી છે.

20 હજાર ઉત્તર ભારતીયોએ પલાયન કર્યું
ઉત્તર ભારતીય વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશ સિંહ કુશવાહાએ દાવો કર્યો છે કે પાછલા એક અઠવાડિયામાં ગુજરાથી લગભગ 20 હજાર ઉત્તર ભારતીયોએ પલાયન કર્યું છે. ત્યારે બિહારના ખાગરિયામાં સાંસદ પપ્પૂ યાદવે રેલી કાઢીને આ હુમલાની નિંદા કરી. ઉલ્લેખનીય છે કેગુજરાત સાબરકાંઠા જિલ્લામાં 14 મહિનાની બાળકીને બળાત્કારની ઘટના બાદ બિન ગુજરાતીઓ પરના હુમલા શરૂ થઈ ગયા હતા. જે બાદ કેટલાય ક્ષેત્રોમાંથી યૂપી-બિહારના લોકોએ પલાયન શરૂ કરી દીધું છે.

બાળકી પર દુષ્કર્મ બાદ બની ઘટના
આ હુમલાઓને જોતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના સીએમ નીતિશ કુમારે ગુજરાત સીએમ સાથે વાત કરી અને સુરક્ષાની ખાતરી કરાવી. બંનેએ નિવેદન આપ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીએ આકરા પગલાં લેવાનો ભરોસો આપ્યો છે. આ વચ્ચે સોમવારે સાંજ જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો, જ્યાં કેટલાક લોકો ઉત્તર ભારતીયોને નિશાન બનાવી રહ્યા છે. તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવાયું
સોમવારે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપ જાડેજાએ કહ્યું કે હજુ સુધી 450થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે અને ફરિયાદોનો તુરંત નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ હુમલાઓને કારણે ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીયોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે. સોમવારે વડોદરાથી પરત જઈ રહેલા લોકોને એમનું નામ પૂછી તેમની સાથે મારપીટ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
