વલસાડમાં આસારામના ભક્તોએ જ ફૂંકી માર્યો 'બાપુ'નો આશ્રમ!
વલસાડ, 22 ઓક્ટોબર: શારિરીક શોષણ બાદમાં બળાત્કારના આરોપોથી ઘેરાયેલા આસારામના ગુજરાતમાં વલસાડના પારડી ગામ સ્થિત આશ્રમને સળગાવી દીધો છે. આશ્રમમાં બનાવેલી આસારામની શાંતિ કુટિરને પણ આગ લગાવીને ફૂંકી મારવામાં આવી છે. આસારામના ભક્તોએ આની વિરુદ્ધ મામલો નોંધાવ્યો છે.
પાંચ વર્ષ પહેલા આસારામના બે લોકોએ આસારામના ગામમાં આશ્રમ બનાવવા માટે જમીન આપી હતી. આ આશ્રમ પર દર ગુરુવારે મોટી સંખ્યામાં આસારામના સાધકો આવી પહોંચતા હતા. આસારામ પર બળાત્કારનો આરોપ લાગ્યા બાદ બંનેએ આશ્રમમાં રહી રહેલા સાધકોને જમીન ખાલી કરી દેવા જણાવ્યું હતું.

આશ્રમ સળગાવવાની સૂચના મળતા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે આશ્રમમાં મચેલી ઘમાસાણ પર કાબૂ મેળવી લીધો. પરંતુ આશ્રમમાં આગ લગાવનાર ભાગી ગયા. મળતી માહિતી અનુસાર આશ્રમના સાધકોએ કેટલાક લોકોની સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.












Click it and Unblock the Notifications
