બનાસકાંઠા જિલ્લામાં 40 હજાર રેશનકાર્ડ રદ કરાયા, જાણો કેમ?
બનાસકાંઠા જિલ્લામાં 40,000થી વધુ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીનો મુખ્ય હેતુ ગેરલાભાર્થીઓને અટકાવીને માત્ર જરૂરિયાતમંદ અને પાત્રતા ધરાવતા ગરીબ પરિવારો સુધી જ સરકારી અનાજનો લાભ પહોંચાડવાનો છે.

પુરવઠા વિભાગ દ્વારા ઈ-ફોર્મેટિક્સ અને જીએસટી પોર્ટલ પર ડેટાની કડક તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં સામે આવ્યું કે ઘણા લોકોએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને અથવા પોતાની આવક ઓછી દર્શાવીને ગેરકાયદેસર રીતે રેશનકાર્ડ મેળવ્યા હતા. કેટલાક સરકારી કર્મચારીઓ પણ ગરીબો માટેના આ લાભો લઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
આ રદ કરાયેલા કાર્ડધારકો હવે સરકાર દ્વારા મળતા મફત અથવા સસ્તા અનાજનો લાભ લઈ શકશે નહીં. આમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે પોતાના બાળકોના નામે અલગ કાર્ડ બનાવ્યા હતા અથવા એક જ પરિવારના સભ્યોના નામે અનેક કાર્ડ મેળવ્યા હતા.
સરકારની આગામી યોજના આ ઘટના બાદ પુરવઠા વિભાગ વધુ સઘન તપાસ કરવા માટે કટિબદ્ધ છે. હવેથી લાભાર્થીઓની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ રેશનકાર્ડ માન્ય ગણાશે, જેથી ભવિષ્યમાં આવા ગેરલાભાર્થીઓને અટકાવી શકાય. આ કાર્યવાહીથી સાચા જરૂરિયાતમંદોને તેમનો હકનો અનાજ મળી રહે તે સુનિશ્ચિત થશે.












Click it and Unblock the Notifications
