પાણીની અછતથી ત્રસ્ત ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
પાણીની અછતથી ત્રસ્ત ભાભર પંથકના ખેડૂતો મોટી સંખ્યામાં કેનાલ પર પહોંચ્યા હતા તથા તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાતમાં ઉનાળુ પાક લેતા ખેડૂતો ની ચિંતા વધી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકના ખેડૂતો પાણી ન મળતાં તંત્ર પર રોષે ભરાયા છે. ખેડૂતોને પિયત માટે પાણી ન મળતાં તેઓ રોષે ભરાયા છે. પોતાની સમસ્યાના નિવારણ માટે તેમણે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.

ભાભરની માઈનોર, જેના પર ખેડૂતો નિર્ભર છે, તે કેનાલમાં નર્મદા નું પાણી ન છોડાતાં ખેડૂતોને માથે જાણે આફત આવી પડી છે. ખેડૂતોને પાણીની અછત પડી રહી છે. આ પરિસ્થિતિથી ત્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં કેનાલ પર પહોંચ્યા હતા તથા તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતો દ્વારા માઈનોર કેનાલમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે કે, જો માઈનોર કેનાલમાં પાણી છોડવામાં નહી આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
