બેંગલોર સ્થિત ABC એરવેઝ સૂરતથી પરિચાલન શરૂ કરશે
સૂરત, 1 જુલાઇ : સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયા બાદ એન્ય એક એરલાઇન કંપનીએ ડાયમંડ સિટી સૂરતથી પોતાની સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી છે. બેંગલોર સ્થિત ABC એરવેઝ ઓગસ્ટ 2014માં ભુવનશ્વરથી બેંગલોર વચ્ચેની ઘરેલુ વિમાન સેવા શરૂ કરવાની છે. આ વર્ષના અંત સુધીમાં તે બીજા શહેરો જેવા કે પુના, ગોવા, સુરત, અમૃતસર અને ગુવાહાટીની સાથે પણ જોડાશે.
બેંગલોર સ્થિત ABC એવિએશન એન્ડ ટ્રેઇનિંગ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડની પેટા કંપની ABC એરવેઝના પ્રમોટર રાજેશ ઇબ્રાહિમ એક કોમર્શિયલ પાયલોટ છે. તેમનું આ નવું સાહસ છે.

કંપની પાસે પ્રારંભિત તબક્કે ત્રણ એમ્બ્રેર E170s, 78 બેઠકોવાળું એક આધુનિક એરક્રાફ્ટ પણ છે. ભુવનેશ્વર અને બેંગલોરની સાથે કંપની સેકન્ડ ટાયર સિટી જેવી કે રાયપુર, સુરત, ગોવા, અમૃતસર અને ગુવાહાટી પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે.
આ અંગે સૂરત એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર 'એબીસી એરવેઝ કંપનીના અધિકારીઓ મહિનાઓ પહેલા સૂરત આવ્યા હતા. તેમણે એર ટ્રાફિક અંગેનો સર્વે પૂરો કર્યો હતો. એકવાર ભુવનેશ્વર અને બેંગલોર વચ્ચે સેવા શરૂ થઇ ગયા બાદ કંપની સુરતમાં પોતાની સેવા શરૂ કરશે.'
નોંધનીય છે કે સૂરત હાલ દિલ્હી, મુંબઇ, બેંગલોર, ચેન્નાઇ, ગોવા, હૈદરાબાદ, કોલકત્તા, મૈસુર, વારાણસી અને થિરુવનંતપુરમ સાથે સંકળાયેલું છે. આ સેવાથી બેંગલોર, ઓરિસ્સા અને છત્તીસગઢથી સૂરત આવતા-જતા લોકોને ફાયદો થશે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
