શૌચાલયનો ઉપયોગ કરો નહીં તો પછી તમારી જોડે થશે આ!

આણંદમાં શૌચાલયનો ઉપયોગ ન કરતા લોકો માટે સરકારી અધિકારીએ એક અનોખો અભિગમ અપનાવ્યો છે. તો જો તમે આણંદ તરફ રહેતા હોવ અને ખુલ્લામાં શૌચ કરવા જતા હોવ તો બની શકે કે અચાનક જ કોઇ વ્યક્તિ તમારો રસ્તો રોકી તમને શૌચ કરવા પહેલા એક ગુલાબ આપી દે..

Beware! if you are not using toilet at home

જો કે ગાંધીગીરી કરીને લોકોને મનાવવાનો આ પ્રયોગ ખરેખરમાં નવતર અને સરાહનીય છે. આ માટે અધિકારીઓએ આઠ ટીમો બનાવી છે. જે વહેલી સવારે તેવા સ્થળો પર જઇને ઊભી રહી જાય છે જ્યાં ગામના લોકો મોટી સંખ્યામાં ખુલ્લામાં શૌચ કરવા આવતા હોય. આ અધિકારીઓ લોકોને ગુલાબનું ફૂલ આપી લોકોને ઘરે શૌચાલય બનાવવા અને તે અંગે સરકારી યોજનાઓની જાણકારી આપે છે. અને આ રીતે "બધા માટે શૌચાયલ"ના અભિયાન માટે લોકોને મનાવી રહી છે.

Beware! if you are not using toilet at home

આણંદ જિલ્લામાં આ અભિયાનના પ્રથમ દિવસે જિલ્લા વિકાસ અધિકારી ડો.એમ.ડી.મોડિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.ભગોરા, તેમજ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.બી.વહોનિયા સહિત તાલુકા વિકાસ અધિકારીઓ પણ જોડાયા હતા. 36 જેટલા ગામોમાં પ્રાથમિક તબકકે આ પહેલ હાથ ધરવામાં આવી છે. આણંદમાં તા.17થી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ આ વાત ધ્યાનમાં લીધી છે કે અનેક લોકોના ઘરે શૌચાલય હોવા છતાં તેઓ શોચક્રિયા માટે ખુલ્લામાં જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X