શૌચાલયનો ઉપયોગ કરો નહીં તો પછી તમારી જોડે થશે આ!
આણંદમાં શૌચાલયનો ઉપયોગ ન કરતા લોકો માટે સરકારી અધિકારીએ એક અનોખો અભિગમ અપનાવ્યો છે. તો જો તમે આણંદ તરફ રહેતા હોવ અને ખુલ્લામાં શૌચ કરવા જતા હોવ તો બની શકે કે અચાનક જ કોઇ વ્યક્તિ તમારો રસ્તો રોકી તમને શૌચ કરવા પહેલા એક ગુલાબ આપી દે..
રાઝ ખુલી ગયો: પુરુષો કલાકો સુધી બાથરૂમમાં આ કરે છે!
જો કે ગાંધીગીરી કરીને લોકોને મનાવવાનો આ પ્રયોગ ખરેખરમાં નવતર અને સરાહનીય છે. આ માટે અધિકારીઓએ આઠ ટીમો બનાવી છે. જે વહેલી સવારે તેવા સ્થળો પર જઇને ઊભી રહી જાય છે જ્યાં ગામના લોકો મોટી સંખ્યામાં ખુલ્લામાં શૌચ કરવા આવતા હોય. આ અધિકારીઓ લોકોને ગુલાબનું ફૂલ આપી લોકોને ઘરે શૌચાલય બનાવવા અને તે અંગે સરકારી યોજનાઓની જાણકારી આપે છે. અને આ રીતે "બધા માટે શૌચાયલ"ના અભિયાન માટે લોકોને મનાવી રહી છે.
પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરતા પહેલા આટલું જરૂર વાંચી લેજો!
આણંદ જિલ્લામાં આ અભિયાનના પ્રથમ દિવસે જિલ્લા વિકાસ અધિકારી ડો.એમ.ડી.મોડિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.ભગોરા, તેમજ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.બી.વહોનિયા સહિત તાલુકા વિકાસ અધિકારીઓ પણ જોડાયા હતા. 36 જેટલા ગામોમાં પ્રાથમિક તબકકે આ પહેલ હાથ ધરવામાં આવી છે. આણંદમાં તા.17થી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ આ વાત ધ્યાનમાં લીધી છે કે અનેક લોકોના ઘરે શૌચાલય હોવા છતાં તેઓ શોચક્રિયા માટે ખુલ્લામાં જાય છે.