Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શૌચાલયનો ઉપયોગ કરો નહીં તો પછી તમારી જોડે થશે આ!

આણંદમાં શૌચાલયનો ઉપયોગ ન કરતા લોકો માટે સરકારી અધિકારીએ એક અનોખો અભિગમ અપનાવ્યો છે. તો જો તમે આણંદ તરફ રહેતા હોવ અને ખુલ્લામાં શૌચ કરવા જતા હોવ તો બની શકે કે અચાનક જ કોઇ વ્યક્તિ તમારો રસ્તો રોકી તમને શૌચ કરવા પહેલા એક ગુલાબ આપી દે..

Beware! if you are not using toilet at home

જો કે ગાંધીગીરી કરીને લોકોને મનાવવાનો આ પ્રયોગ ખરેખરમાં નવતર અને સરાહનીય છે. આ માટે અધિકારીઓએ આઠ ટીમો બનાવી છે. જે વહેલી સવારે તેવા સ્થળો પર જઇને ઊભી રહી જાય છે જ્યાં ગામના લોકો મોટી સંખ્યામાં ખુલ્લામાં શૌચ કરવા આવતા હોય. આ અધિકારીઓ લોકોને ગુલાબનું ફૂલ આપી લોકોને ઘરે શૌચાલય બનાવવા અને તે અંગે સરકારી યોજનાઓની જાણકારી આપે છે. અને આ રીતે "બધા માટે શૌચાયલ"ના અભિયાન માટે લોકોને મનાવી રહી છે.

Beware! if you are not using toilet at home

આણંદ જિલ્લામાં આ અભિયાનના પ્રથમ દિવસે જિલ્લા વિકાસ અધિકારી ડો.એમ.ડી.મોડિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.ભગોરા, તેમજ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.બી.વહોનિયા સહિત તાલુકા વિકાસ અધિકારીઓ પણ જોડાયા હતા. 36 જેટલા ગામોમાં પ્રાથમિક તબકકે આ પહેલ હાથ ધરવામાં આવી છે. આણંદમાં તા.17થી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ આ વાત ધ્યાનમાં લીધી છે કે અનેક લોકોના ઘરે શૌચાલય હોવા છતાં તેઓ શોચક્રિયા માટે ખુલ્લામાં જાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X