ભરૂચમાં એમેઝોનના કુરિયરવાળાને 2000 રૂપિયાના છુટ્ટા, ભારે પડ્યા!
ભરૂચમાં કુરિયરવાળા અને ગ્રાહક વચ્ચે 2000 રૂપિયાની નોટના છૂટ્ટાને લઇને થઇ તેવી બબાદ કે મામલો હોસ્પિટલમાં પહોંચ્યો.
નોટબંધી પછી કેશ સમસ્યા વધી છે. એટલું જ નહીં 2000 રૂપિયાની નવી નોટના છૂટા મેળવવા પણ લોકોને ભારે મુશ્કેલી થઇ રહી છે. ત્યારે આ તમામની વચ્ચે ભરૂચમાં એમેઝોનના કુરિયરવાળાને 2000 રૂપિયાના છુટ્ટા મામલે તેવો તો વિવાદ સર્જાયો કે હોસ્પિટલ જવાનો વારો આવ્યો. પ્રાપ્ત માહિતી મુજબ ડુમવાડમાં રહેતા એક વ્યક્તિએ એમેઝોનની 525 રૂપિયા કિંમતનું પાર્સલ મંગાવ્યું હતું.

તેની ડિલેવરી લઇને જ્યારે એમેઝોનનો કુરિયરવાળો તેમના ઘરે ગયો તો ગ્રાહકે 2000 રૂપિયાની નોટ આપતા, કુરિયર વાળા અને ગ્રાહક વચ્ચે બોલચાલ થઇ. જે બાદ ગ્રાહકે સાંજે તેને ફરી બોલાવી તેની સાથે 3 જેટલા એજન્ટ અને એજન્સી સંચાલકોને માર મારી, માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી. જે બાદ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને ભરૂચ ડિવિઝન પોલિસે આ અંગે ફરિયાદ નોંધી હતી












Click it and Unblock the Notifications
