ભરૂચ:નબીપુર પાસે ગમખ્વાર અકસ્માત, 3ના અરેરાટી ભર્યા મોત
ભરૂચના નબીપુર પાસે ગમખ્વાર અકસ્માતમાં 3ના અરેરાટી ભર્યા મોત જાનૈયાઓની બસને નડ્યો અકસ્માત આ અંગે વધુ વાંચો અહીં...
ભરૂચના નબીપુર નજીક જાનૈયાઓની બસને અકસ્માત થયો હતો. બસ અને ટ્રક ધડાકાભેર અથડાતા નવોઢા સહિત 3ના મોત થયા છે. એક અહેવાલ મુજબ જાનૈયાઓ સુરતથી દ્વારકા તરફ જઈ રહ્યા હતા. આ અકસ્માત પરોઢિયાના સમયે થયો હતો. હાલમાં તમામ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પોલીસ તથા એમબ્યુલન્સ પહોંચી ગઈ હતી અને આ ઘટનાને પગલે લગ્નના હર્ષના માહોલમાં શોકની કાલિમા વ્યાપી ગઈ હતી. અંધારું હોવાથી અકસ્માત કેવી રીતે થયો તેની વિગતો પોલીસને હજી સુધી સાંપડી નથી.

મૃતકોના શબને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતને પગલે ભરૂચ અમદાવાદ હાઇવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઉપરાંત આણંદ પાસે પણ એક અકસ્માતની ઘટનાએ આકાર લીધો હતો. તે જોતા પોલીસ પ્રાથમિક અનુમાન લગાવ્યુ હતું કે, વરસાદ અને ધુમ્મસના વાતાવરણમાં ડ્રાઇવરને વિઝન ન મળતા અકસ્માત થયો હશે. ઉલ્લેખનીય છે કે, નબીપુર પાસેના અક્સમાતમાં ટ્રક અને બસ અથડાઈ ગઈ હતી. તો આણંદમાં બે ખાનગી બસો અથડાઈ હતી.

-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
