મોરબીમાં 150 લોકોનો જીવ ગયો છે, આ દુર્ઘટના નહી હત્યા છે, બીજેપી જવાબદાર: મનિષ સિસોદીયા
મોરબીમાં મચ્છુ નદી પરનો કેબલ બ્રિજ રિનોવેશન બાદ ફરી ચાલુ કરાયા બાદ 5 દિવસમાં ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 135થી વધુ લોકોનો જીવ ગયો હતો. સરકારે 100થી વધુ મૃત્યુની પુષ્ટિ કરી છે. હજુ પણ ઘણા લોકો ગુમ હોવાનું કહેવાય છે. આ
મોરબીમાં મચ્છુ નદી પરનો કેબલ બ્રિજ રિનોવેશન બાદ ફરી ચાલુ કરાયા બાદ 5 દિવસમાં ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 135થી વધુ લોકોનો જીવ ગયો હતો. સરકારે 100થી વધુ મૃત્યુની પુષ્ટિ કરી છે. હજુ પણ ઘણા લોકો ગુમ હોવાનું કહેવાય છે. આ ઉપરાંથી 25 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટના માટે આમ આદમી પાર્ટીએ સત્તાધારી ભાજપ પર આકરા સવાલો ઉઠાવ્યા છે.

મનિષ સિસોદીયાએ કરી પ્રેસ કોન્ફરન્સ
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપને જવાબદાર ગણાવ્યું હતું. સિસોદિયાએ એટલું જ કહ્યું કે મોરબીમાં પુલ તૂટી પડવાને કારણે 150 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ કોઈ અકસ્માત નથી, આ હત્યા છે અને આ હત્યાઓ ભાજપ દ્વારા કરવામાં આવી છે.

સિસોદીયાએ પુછ્યા સવાલ
પ્રેસ કોન્ફરન્સમાં મનીષ સિસોદિયાએ ભાજપને 5 સવાલ પૂછ્યા છે. સિસોદીયાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે ગુજરાતના મોરબીમાં 150 લોકોએ જીવ ગુમાવ્યા છે. નિર્દોષ બાળકો માર્યા ગયા છે. હું નેતાઓ અને તેમની સરકારને પ્રશ્નો પૂછવા માંગુ છું જેમણે 150 લોકો અને નિર્દોષ બાળકોની હત્યા કરી. હું પૂછું છું કે, તૂટેલા પુલના પુનઃનિર્માણનો કોન્ટ્રાક્ટ ઘડિયાળ બનાવનારને શા માટે આપવામાં આવ્યો? એવી કંપનીને આપ્યો જે કંપનીએ કોઈ બ્રિજ બનાવ્યો નથી, કોઈ સિવિલ વર્ક કર્યું નથી.
|
BJPએ સ્વિકારવી જોઇએ અકસ્માતની જવાબદારી
આમ આદમી પાર્ટીના ગુજરાતી નેતાએ કહ્યું કે આ અકસ્માતની જવાબદારી ભાજપે લેવી જોઈએ. આ અકસ્માતમાં કોઈએ પોતાનું બાળક ગુમાવ્યું તો કોઈએ જીવનસાથી ગુમાવ્યો. કોઈના ગર્ભમાં પુત્રની કબર બની ગઈ. કોઈનુ પોતાનુ નજર સામે ડૂબી ગયુ. સોમવાર સવારથી જ સર્વત્ર આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ખૂબ જ દુઃખદ છે.'
-
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
