અ'વાદથી ગાંધીનગર જઇ રહેલી બસમાં આગ, મુસાફરોનો આબાદ બચાવ
ગાંધીનગર, 21 જુલાઇ : અમદાવાથી ગાંધીનગર જઇ રહેલી લોકલ બસમાં અચાનક આગ લાગી જતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આજે રવિવાર હોવાના કારણે બસમાં સામાન્ય કરતા વધુ ભીડ ન્હોતી જેના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
આ સીએનજી જીએસઆરટીસીની બસમાં કેવી રીતે આગ લાગી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. બસમાં આગ પાછળની બાજુથી લાગી હતી, જ્યાં તેનું એન્જીન બસની પાછળની બાજું આવેલું હોય છે. બસમાં આગ લાગવાથી ડ્રાઇવરે તાત્કાલિક બસ ઉભી રાખી દીધી અને કંડક્ટરે તમામ મુસાફરોને બસમાંથી તાત્કાલીક ઉતારી દીધા. કંડક્ટર અને ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

જીએસઆરટીસીની આ નવીન સફેદ કલરની સીએનજી બસમાં એન્જીન પાછળની બાજુએ હોય છે. અને સામાન્ય એસટી બસ કરતા તેમાં મુસાફરોને સમાવવાની જગ્યા વધારે હોય છે. આ બસ ખૂબ લાંબી અને પહોળી હોય છે. જે અમદાવાદથી ગાંધીનગરના રૂટ પર ચાલે છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?









Click it and Unblock the Notifications
