For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૌહત્યા પર CM રૂપાણી: ગાંધીની કલ્પનાનું રામરાજ્ય બનાવીશું

ગૌહત્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે શું પ્રતિક્રિયા આપી વિગતવાર જાણો અહીં.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

આજે ગુજરાતમાં ગુજરાત વિધાનસભા માં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા વિધેયક રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા રજૂ કરવામાં આવ્યો હતો. જેને સર્વસંમત્તિ સાથે પસાર કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ હવે ગૌ -વંશની હત્યા કે હેરાફેરી કરનારને સાત વર્ષથી 10 વર્ષની સજા થશે. ત્યારે આ વિધાયક પસાર થયા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ આ અંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા વિધેયક મુકવા બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ. ગુજરાત એ બે વાત માટે જાણીતું છે. એક દારૂ બંધી અને બીજું શાકાહારી ગુજરાત.

vijay rupani

Read also : ગૌહત્યા પર થશે ઉંમરકેદ,પશુ સંરક્ષણ સુધારા વિધેયક પસાર Read also : ગૌહત્યા પર થશે ઉંમરકેદ,પશુ સંરક્ષણ સુધારા વિધેયક પસાર

બીજા રાજ્યોએ દારૂની એક્સાઇઝ ડ્યૂટી ની આવક માટેની વાત કરે છે પરંતુ ભલે રાજ્યને તેની આવક ન મળે પરંતુ દારૂના દુષણથી અને રાજ્યના નાગરિકો દૂર રહે છે તેવું ઇચ્છીએ છીએ. વધુમાં તેમણે કહ્યું કે આ રાજ્યએ જીવ દયાનું રાજ્ય છે. અને એટલા માટે આ રાજ્યમાં ગૌ હત્યા ન થાય તે અમારી રાજકીય ઈચ્છા શક્તિ છે. અમે આ બજેટ માં નંદી ઘર ની યોજના લાવી એ છે.અને જર્સી ગાયો નહિ પરંતુ ગીર ગાયો આપણે જોઈએ છે. તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરી છે.

તેમણે કહ્યું કે ગાંધી,સરદાર અને નરેન્દ્ર મોદી ના ગુજરાત અગલ છે. આ ગુજરાત જીવ માત્ર નો વિચાર કરે છે આથી ગૌહત્યા ગુજરાતમાં આ કાયદો લાવ્યા છે. અને કાયદો કડક બનાવ્યા છે. ખેડુત,ખેતી અને ગામડું સમૃધ્ધ બને તેવા પ્રયાસો ગુજરાત કરી રહ્યું છે. મહાત્મા ગાંધીની કલ્પના મુજબનું રામરાજ્ય બનાવવા માંગીએ છે, દિવ્ય ગુજરાતની દિશામાં આ મહત્વનું પગલું છે.

English summary
Read here CM Vijay Rupani reaction on new law on cow slaughter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X