મોંઘવારી માટે કોંગ્રેસ જ જવાબદાર : નરેન્દ્ર મોદી

narendra modi
દાહોદ, 4 ઑક્ટોબર : આજે સવારે દાહોદમાં જનસભાને સંબોધતા અને કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ કરેલા આક્ષેપોનો જવાબ આપતા મોદીએ જણાવ્યું કે દેશમાં મોંઘવારી માટે કોંગ્રેસ જવાબદાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વર્ષે ચૂંટણીમાં રાજકોટમાં ભાજપના જ વાવટા ફરકશે.

કોંગ્રેસ, સોનિયા ગાંધી અને કેન્દ્રની યુપીએ સરકાર પર ચાબખા વરસાવતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 2009ની લોકસભા ચૂંટણીમાં સોનિયા અને કોંગ્રેસ પાર્ટીએ વચનો આપ્યો હતા કે કોંગ્રેસને જીતાડશો તો રોજાગારી આપીશું. તેમણે 100 દિવસમાં મોંધવારી ઘટાડવાનું વચન પણ આપ્યું હતું. તમે જ કહો 100 દિવસમાં મોંઘવારી ઘટી કે વધી?

જનસભાને સંબોધન કરતા મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ બેઠકો પર ભાજપની જીત થશે. 2007માં ચૂંટણી થઇ ત્યારે પ્રચાર શરૂઆત છોટા ઉદેપુરથી કરી હતી. અને જીતનો મનોરથ સેવ્યો હતો. છોટાઉદેપુરની સીટ પર કોંગ્રેસ હારી ગઇ હતી. એમને થયું કે આદિવાસી પટ્ટીમાં દાળ ગળે એમ નથી. આથી ગઇ કાલે રાજકોટ ગયા હતા. મારા શબ્દો લખી રાખજો કે રાજકોટની બધી જ બેઠકો પર ભાજપનો વાવટો ફરકશે.

સોનિયા ગાંધીએ ઉભા કરેલા સવાલોના જવાબ આપતા મોદીએ જવાબ આપ્યો કે દેશમાં જે મોંધવારી વ્યાપી છે તેના માટે કોંગ્રેસ અને યુપીએ જવાબદાર છે. સોનિયા ગાંધી ભાષણ આપતા ડરે છે. દેશમાં ફુગાવાના વધારા માટે પણ કોંગ્રેસ જવાબદાર. કોંગ્રેસ ગુજરાતને બદનામ કરે છે. કોંગ્રેસે રોજગારીમાં વધારો કરવાને બદલે બેરોજગારીમાં વધારો કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X