'હર ઘર તિરંગા' અભિયાન અતર્ગત સી.આર.પાટીલે જૂનગઢ હાજર રહીને પાર્ટીના કાર્યકર્તાને પ્રોત્સાહિ કર્યા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' કાર્યક્રમમા જૂનાગઢ શહેર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. દેશની આઝાદીની 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 13 થી 15 ઓગસ્ટ સુધી દેશના હર ઘર તિરંગા અભિયાન
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' કાર્યક્રમમા જૂનાગઢ શહેર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. દેશની આઝાદીની 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 13 થી 15 ઓગસ્ટ સુધી દેશના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતાના ઘર પર તિરંગો લગાવા માટે આહવાન કર્યુ છે. તેને લઇને ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. તેમજ લોકોને પોતાના ઘર પર તિરંગો લહેરાવા માટે પ્રેરણા આપવાામાં આવી રહી છે. રાજ્યના 1 કરોડ ઘરો પર તિરંગો લહેરાવાામાં આવાનું ટાર્ગેટ સરકાર દ્વારા રાખવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમમા રાજ્ય સરકાર ના મંત્રી જીતુભાઈ વાઘાણી,પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા,જૂનાગઢ શહેર પ્રમુખ પુનીતભાઈ શર્મા , જૂનાગઢ શહેર ના મેયર ગીતાબેન પરમાર, શહેર ના પ્રભારીશ્રીઓ, મહામંત્રીઓ સહિત હોદ્દેદારોશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.