ગુજરાત પર ફરીથી મંડરાયો તોફાન ‘વાયુ' નો ખતરો, આ દિવસે દઈ શકે દસ્તક
ગુજરાતમાં ચક્રવાતી તોફાન ‘વાયુ'ની દિશા બદલાયા બાદ રાજ્યની વિજય રૂપાણી સરકાર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ‘વાયુ'નો ખતરો ફરીથી પાછો આવી ગયો છે.
ગુજરાતમાં ચક્રવાતી તોફાન 'વાયુ'ની દિશા બદલાયા બાદ રાજ્યની વિજય રૂપાણી સરકાર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ 'વાયુ'નો ખતરો ફરીથી પાછો આવી ગયો છે. કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયના એક મોટા અધિકારીએ જણાવ્યુ કે ચક્રવાત 'વાયુ'નો ખતરો હજુ યથાવત છે અને તેણે પોતાની ધરી બદલી દીધી છે. અધિકારીએ જણાવ્યુ કે આ તોફાન પાછુ આવી રહ્યુ છે અને 17-18 જૂનના રોજ ગુજરાતના કચ્છમાં ફરીથી ટકરાઈ શકે છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે જ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ઘોષણા કરી હતી કે ચક્રવાતી તોફાન 'વાયુ'થી રાજ્યને હવે કોઈ ખતરો નથી કારણકે તે પશ્ચિમ તરફ આગળ વધી ગયુ છે. એવામાં 'વાયુ' તોફાન વિશે નવી માહિતીએ સરકાર અને લોકોની ચિંતા ફરીથી વધારી દીધી છે.
આ પણ વાંચોઃ નીતિ પંચની બેઠક આજે, મમતા બેનર્જી-કેસીઆર નહિ થાય આ મીટિંગમાં શામેલં

ગુજરાત સરકારને આપવામાં આવી માહિતી
કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલય મુજબ, ચક્રવાતી તોફાન ‘વાયુ' 17 અને 18 જૂનના રોજ ગુજરાતના કચ્છ સાથે ગમે ત્યારે ટકરાઈ શકે છે. જો કે જણાવવામાં આવી રહ્યુ છે કે આ વખતે ‘વાયુ'ના તીવ્રતા એટલી નહિ હોય. ભૂવિજ્ઞાન મંત્રાલયના સચિવ રાજીવે જણાવ્યુ કે વાયુ ચક્રવાતના ખતરાથી હજુ સુધી બચી શકાયુ નથી. આની તીવ્રતા નિશ્ચિત રૂતે ઘટી રહી છે પરંતુ આના કારણે ગુજરાતના કચ્છ સાથે ટકરાવાની શંકા યથાવત છે. ગુજરાત સરકારને પણ આ ચક્રવાતી તોફાનના ફરીથી આવેલા ખતરા વિશે અવગત કરી દેવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર દરેક સંભવ ઉપાયો કરવામાં લાગી ગઈ છે.

ફરીથી એલર્ટ પર
રાહત અને બચાવ ટીમ કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલય તરફથી જાહેર કરાયેલ નવી ચેતવણી બાદ રાહત તેમજ બચાવ અભિયાન માટે જે કર્મચારીઓ તેમજ અધિકારીઓને પાછા બોલાવવામાં આવ્યા હતા તેમને ફરીથી તૈનાત કરવામાં આવી રહ્યા છે.

બુધવારે રાતે બદલી હતી ‘વાયુ'એ પોતાની ધરી
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરુવારે ચક્રવાતી તોફાન ‘વાયુ'ના ગુજરાત કિનારે ટકરાવાની આશંકા હતી પરંતુ બુધવારે અડધી રાતે ‘વાયુ' પોતાની ધરી બદલીને ઓમાન તરફ વળી ગયુ. ‘વાયુ' ના કારણે ગુજરાતના ગિર સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદરના કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન સાથે ભારે વરસાદ થવા સાથે સમુદ્ર ઉછળવાના કારણે ઉંચી લહેરો ઉઠી હતી. ચક્રવાતી તોફાન ‘વાયુ'નું સંકટ ટળ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘોષણા કરી હતી કે પ્રભાવિત 10 જિલ્લાના ત્રણ લાખ લોકોને તેમના ઘરે પાછા મોકવામાં આવશે.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
