Dakor Temple Controversy : ડાકોર મંદિર કમિટિના નિર્ણયને લઈને વિવાદ, જાણો શું છે પુરી બબાલ?
Dakor Temple Controversy : ડાકોર મંદિર કમિટીના એક વિવાદાસ્પદ નિર્ણયને લઈને ભક્તોમાં નારાજગી જોવા મળી છે. ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવામાં આવતા મોટો વિવાદ સર્જાય છે.
મંદિર કમિટીએ આરતી દરમિયાન કોઈપણ વારાદારી સિંહાસન કે તેના પાટિયા પર ઉભા રહી આરતી કરી નહીં શકવાનો આદેશ કરાતા આ હંગામો સર્જાયો છે.

સમાચાર અનુસાર, ડાકોર મંદિર કમિટિએ આ નિર્ણય 22 નવેમ્બર 2024 ની એક દુર્ઘટનાને આધાર બનાવીને લીધો છે. આરતી દરમિયાન એક તપોધન વારાદારીનો ખેસ સળગવાની ઘટના બની હતી.
આ ઘટનાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે મંદિર કમિટિએ આરતી માટે નવા નિયમો લાગુ કર્યા છે. હવે આ નિર્ણયને લઈને વવાદ થઈ રહ્યો છે.
આ નિર્ણયને કારણે ભક્તોમાં રોષ ફેલાયો છે. ભક્તોનું માનવુ છે કે આ નવા નિયમને કારણે ભગવાન રણછોડજીના દર્શન કરવામાં મુશ્કેલી પડી શકે છે.
આરતીની પરંપરાને અચાનક બદલાતા ભક્તોમાં અસંતોષ છે. કેટલાક ભક્તોનું માનવું છે કે એક માત્ર ઘટના માટે આટલો મોટો નિર્ણય કેમ લેવાયો?
બીજી તરફ આ નિયને કારણે વિરોધનીસંભાવનાને ધ્યાનમાં રાખીને ડાકોર મંદિર કમિટિએ આરતી માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો છે. હાલની સ્થિતી જોતા આ વિવાદ વધી શકે છે. જણાવી દઈએ કે, ડાકોર મંદિરની ગણતરી ગુજરાતના અગ્રણી મંદિરોમાં થાય છે. આ મંદિરમાં વર્ષે લાખો લોકો દર્શન માટે આવે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
