Dakor Temple Controversy : ડાકોર મંદિર કમિટિના નિર્ણયને લઈને વિવાદ, જાણો શું છે પુરી બબાલ?

Dakor Temple Controversy : ડાકોર મંદિર કમિટીના એક વિવાદાસ્પદ નિર્ણયને લઈને ભક્તોમાં નારાજગી જોવા મળી છે. ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવામાં આવતા મોટો વિવાદ સર્જાય છે.

મંદિર કમિટીએ આરતી દરમિયાન કોઈપણ વારાદારી સિંહાસન કે તેના પાટિયા પર ઉભા રહી આરતી કરી નહીં શકવાનો આદેશ કરાતા આ હંગામો સર્જાયો છે.

Dakor Temple Controversy

સમાચાર અનુસાર, ડાકોર મંદિર કમિટિએ આ નિર્ણય 22 નવેમ્બર 2024 ની એક દુર્ઘટનાને આધાર બનાવીને લીધો છે. આરતી દરમિયાન એક તપોધન વારાદારીનો ખેસ સળગવાની ઘટના બની હતી.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે મંદિર કમિટિએ આરતી માટે નવા નિયમો લાગુ કર્યા છે. હવે આ નિર્ણયને લઈને વવાદ થઈ રહ્યો છે.

આ નિર્ણયને કારણે ભક્તોમાં રોષ ફેલાયો છે. ભક્તોનું માનવુ છે કે આ નવા નિયમને કારણે ભગવાન રણછોડજીના દર્શન કરવામાં મુશ્કેલી પડી શકે છે.

આરતીની પરંપરાને અચાનક બદલાતા ભક્તોમાં અસંતોષ છે. કેટલાક ભક્તોનું માનવું છે કે એક માત્ર ઘટના માટે આટલો મોટો નિર્ણય કેમ લેવાયો?

બીજી તરફ આ નિયને કારણે વિરોધનીસંભાવનાને ધ્યાનમાં રાખીને ડાકોર મંદિર કમિટિએ આરતી માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો છે. હાલની સ્થિતી જોતા આ વિવાદ વધી શકે છે. જણાવી દઈએ કે, ડાકોર મંદિરની ગણતરી ગુજરાતના અગ્રણી મંદિરોમાં થાય છે. આ મંદિરમાં વર્ષે લાખો લોકો દર્શન માટે આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X