ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ: 17 લોકોના કરુણ મોત, જાણો વિસ્ફોટનું કારણ!
મંગળવારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક ફટાકડાની ફેક્ટરી અને વેરહાઉસમાં થયેલા ભયાનક વિસ્ફોટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 17 કામદારોનાં કરુણ મોત નીપજ્યાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.
આ ઘટના ડીસા GIDC વિસ્તારમાં આવેલી "દીપક ટ્રેડર્સ" નામની ફેક્ટરીમાં બની હતી, જેના કારણે આખા વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, આગ લાગવાને કારણે ફેક્ટરીનો સ્લેબ તૂટી પડ્યો હતો અને ઇમારતનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો, જેના લીધે બચાવ કામગીરીમાં ભારે અવરોધો ઉભા થયા હતા.
ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટર્સ, 108 એમ્બ્યુલન્સ ટીમો અને પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. શરૂઆતમાં છ લોકોના મોતના અહેવાલ સામે આવ્યા હતા, પરંતુ અગ્નિશામક દળે આગ પર કાબૂ મેળવ્યા બાદ કાટમાળની શોધખોળ કરતાં મૃત્યુઆંક ધીમે ધીમે વધીને 17 પર પહોંચ્યો હતો.
આ દરમિયાન, પાંચ ઘાયલ કામદારોને તાત્કાલિક રેસ્ક્યૂ કરીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફેક્ટરીમાં બોઈલરમાં થયેલા વિસ્ફોટને કારણે આગ ફાટી નીકળી હતી. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને ફેક્ટરીની ઇમારતનો મોટો ભાગ તૂટીને 200 મીટરના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો.
વિસ્ફોટ બાદ લાગેલી આગે ઝડપથી આખી ફેક્ટરીને લપેટમાં લઈ લીધી હતી, જેના કારણે ત્યાં કામ કરી રહેલા 20થી 25 મજૂરોમાંથી મોટા ભાગના ભાગી ન શક્યા અને કાટમાળ નીચે દટાઈ ગયા. આગ એટલી ભયાનક હતી કે ફેકટરીની આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેના કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી હતી.

ફાયર ફાઇટરોએ લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને હવે કુલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે, જેથી આગ ફરીથી ભભૂકી ન ઉઠે. આ સાથે, કાટમાળ હટાવવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે, જેમાં ક્રૂની ટીમો દિવસ-રાત કામે લાગી છે.
ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. SDRFના જવાનોએ આધુનિક સાધનોની મદદથી કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવાનું કામ શરૂ કર્યું છે, જેથી જો કોઈ જીવિત હશે તો તેને બચાવી શકાય.
આ ઘટના અંગે વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફેક્ટરીમાં ફટાકડા બનાવવાની પરવાનગી નહોતી અને તે ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે ફેક્ટરીને માત્ર સ્ટોરેજ માટેની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ત્યાં ફટાકડાનું ઉત્પાદન થઈ રહ્યું હતું, જે સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન દર્શાવે છે. આ અંગે પોલીસે ફેક્ટરીના માલિક અને સંચાલકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને શોકની લાગણી પેદા કરી છે. મૃતકોના પરિવારજનો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને સરકાર પાસે ન્યાયની માગણી કરી રહ્યા છે.
જિલ્લા પ્રશાસને મૃતકોના પરિવારોને આર્થિક સહાય અને ઘાયલોને મફત સારવારની જાહેરાત કરી છે. આ ઘટનાએ ઔદ્યોગિક સુરક્ષા અને ગેરકાયદેસર ઉત્પાદન અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે, જેના જવાબો હવે તપાસમાંથી જ મળી શકશે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
