વર્ગ-4ના કર્મચારીઓને રાજ્ય સરકારની દિવાળી ભેટ

ગુરૂવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધતાં કેટલીક મહત્વની જાહેરાત કરી હતી.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર તરફથી અન્ય કેટલીક મહત્વની જાહેરાતો ગુરવારે કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધતાં વર્ગ-4ના કર્મચારીઓને લગતી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. આ સાથે જ અમદાવાદ ઔડાના રિંગ રોડ પર નાના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત પણ કરી હતી. આ સાથે વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ સહિતની અગત્યની જાહેરાત તથા બાંધકામ નિયમ અંગે અગત્યની જાહેરાત કરવામાં આવી હતી.

nitin patel

નીતિન પેટલે કરેલ અન્ય મુખ્ય જાહેરાતો વાંચો અહીં...

  • અમદાવાદ ઔડાના રિંગ રોડ પર હવે નાના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ, શુક્રવારથી નાના વાહનો પાસે ટોલ ટેક્સ નહીં વસૂલાય
  • રિક્ષા અને ફોર વ્હીલરને ટોલ ટેક્સ નહીં ભરવો પડે
  • વર્ગ-4ના કર્મચારીઓમાં સરકારી, પંચાયતના, બોર્ડ નિગમના સફાઇ કર્મચારીઓને કાયમી કરવાની પરવાગની આપવામાં આવી. 162 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકાના કર્મચારીઓને કાયમી કરવાની પરવાનગી
  • રાજ્યમાં કુલ 8 લાખ વર્ગ-4ના કર્મચારીઓ
  • જો એ સફાઇ કર્મચારીનું નોકરી દરમિયાન મૃત્યુ થાય તો સરકાર તરફથી પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે અથવા વળતર આપવામાં આવશે.
  • વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી બોનસની જાહેરાત, 3500 રૂ.ની મર્યાદામાં મળશે બોનસ. 35,000 કર્મચારીઓને મળશે બોનસનો લાભ
  • રાજ્યભરમાં બાંધકામ નિયમ જીડીસીઆર એક સમાન લાગુ થશે. એના કારણે રાજ્યમાં બાંધકામને એક સમાન રીતે મળશે મંજૂરી. જીડીસીઆર નિયમ ગુરૂવારથી જ લાગુ કરવામાં આવ્યો.
  • 1 જુલાઇ, 2017થી મોંઘવારી ભથ્થાનો અમલ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X