મેળાનો છેલ્લો દિવસ, 21 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા માં અંબાના ધામમાં

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ઘ્વારા યાત્રીકોને સરળતાથી દર્શન તેમજ પ્રસાદ મળે તે માટે મંદિર ૫રિસરમાં પુરતી વ્યવસ્થા કરાઇ છે. ટ્રસ્ટ ઘ્વારા વિના મૂલ્યે ભોજન પ્રસાદનો લાભ બે લાખથી વધુ યાત્રીકોએ લીધો છે. દર્શન કરીને મંદિરની બહાર આવતાં યાત્રીકોના ચહેરા ઉ૫ર આનંદ અને સંતોષની લાગણી જણાય છે. દેવસ્થાન ટ્રસ્ટ ઘ્વારા સંખ્યાબંધ સ્થળોએ વિસામા કેન્દ્રો બનાવાયા છે. મેળો હવે અંતિમ ચરણમાં ૫હોચ્યો છે ત્યારે યાત્રીકો રમતા ઝુમતા હરખભેર અંબાજી ૫હોંચી રહ્યા છે.
તા.૩૦ સપ્ટેમ્બરને રવિવારે ભાદરવી પૂનમ મેળાનો છેલ્લો દિવસ છે, પૂનમના દિવસે નિયમિત દર્શન કરવા આવતાં ભક્તો અંબાના ધામે ઉમટી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, દર પૂનમના દિવસે ધણા માઈભક્તો રાજયમાંથી આવે છે તે ઉ૫રાંત મુંબઈથી ૫ણ સેંકડો ભક્તો દર પૂનમે અંબાજી દર્શનાર્થે આવે છે. માઈભક્તોને મા અંબે ઉ૫ર અપાર શ્રદ્ધા હોય છે.
શ્રદ્ધાળુઓ જીવનમાં ડગલેને ૫ગલે માતાજીનુ સ્મરણ કરી બાધા, માનતા ૫ણ રાખતા હોય છે. ભક્તોની માનતા પૂરી થતાં શ્રદ્ધાળુઓ હરખભેર અંબાજી દોડી આવીને માનતા પૂરી કરે છે. ધણા માઈભક્તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતાં કરતાં ૫ણ દર્શનાર્થે આવતા જણાય છે. ઘણાં દં૫તિઓ પોતાના નાના બાળકોને હીંચકામાં ઝુલાવતાં ઝુલાવતાં ૫ણ અંબાજી લઈ જતાં હતાં. ૫દયાત્રામાં વૃદ્ધો, નાના બાળકો અને અપંગો ૫ણ જોવા મળ્યા હતા. ભાદરવી પૂનમનો મહામેળો શ્રદ્ધાળુઓ માટે મહાઅવસર હોય છે.
આ ઉપરાંત શામળાજીમાં પણ ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. અહીંના મંદિરે દિવસમાં પાંચ વખત આરતી ઉતારવામાં આવી રહી છે, આ ભક્તિમય માહોલનો લ્હાવો ઉઠાવવા માટે બહોળી સંખ્યામાં ભાવીભક્તો ઉમટી રહ્યાં છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ








Click it and Unblock the Notifications
