મેળાનો છેલ્લો દિવસ, 21 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા માં અંબાના ધામમાં
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ઘ્વારા યાત્રીકોને સરળતાથી દર્શન તેમજ પ્રસાદ મળે તે માટે મંદિર ૫રિસરમાં પુરતી વ્યવસ્થા કરાઇ છે. ટ્રસ્ટ ઘ્વારા વિના મૂલ્યે ભોજન પ્રસાદનો લાભ બે લાખથી વધુ યાત્રીકોએ લીધો છે. દર્શન કરીને મંદિરની બહાર આવતાં યાત્રીકોના ચહેરા ઉ૫ર આનંદ અને સંતોષની લાગણી જણાય છે. દેવસ્થાન ટ્રસ્ટ ઘ્વારા સંખ્યાબંધ સ્થળોએ વિસામા કેન્દ્રો બનાવાયા છે. મેળો હવે અંતિમ ચરણમાં ૫હોચ્યો છે ત્યારે યાત્રીકો રમતા ઝુમતા હરખભેર અંબાજી ૫હોંચી રહ્યા છે.
તા.૩૦ સપ્ટેમ્બરને રવિવારે ભાદરવી પૂનમ મેળાનો છેલ્લો દિવસ છે, પૂનમના દિવસે નિયમિત દર્શન કરવા આવતાં ભક્તો અંબાના ધામે ઉમટી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, દર પૂનમના દિવસે ધણા માઈભક્તો રાજયમાંથી આવે છે તે ઉ૫રાંત મુંબઈથી ૫ણ સેંકડો ભક્તો દર પૂનમે અંબાજી દર્શનાર્થે આવે છે. માઈભક્તોને મા અંબે ઉ૫ર અપાર શ્રદ્ધા હોય છે.
શ્રદ્ધાળુઓ જીવનમાં ડગલેને ૫ગલે માતાજીનુ સ્મરણ કરી બાધા, માનતા ૫ણ રાખતા હોય છે. ભક્તોની માનતા પૂરી થતાં શ્રદ્ધાળુઓ હરખભેર અંબાજી દોડી આવીને માનતા પૂરી કરે છે. ધણા માઈભક્તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતાં કરતાં ૫ણ દર્શનાર્થે આવતા જણાય છે. ઘણાં દં૫તિઓ પોતાના નાના બાળકોને હીંચકામાં ઝુલાવતાં ઝુલાવતાં ૫ણ અંબાજી લઈ જતાં હતાં. ૫દયાત્રામાં વૃદ્ધો, નાના બાળકો અને અપંગો ૫ણ જોવા મળ્યા હતા. ભાદરવી પૂનમનો મહામેળો શ્રદ્ધાળુઓ માટે મહાઅવસર હોય છે.
આ ઉપરાંત શામળાજીમાં પણ ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. અહીંના મંદિરે દિવસમાં પાંચ વખત આરતી ઉતારવામાં આવી રહી છે, આ ભક્તિમય માહોલનો લ્હાવો ઉઠાવવા માટે બહોળી સંખ્યામાં ભાવીભક્તો ઉમટી રહ્યાં છે.