For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના રાજકારણમાં પાટીદારોનુ વર્ચસ્વ

પાટીદારોના મતો 182માંથી 60થી વધુ વિધાનસભા મતવિસ્તારોના પરિણામોને પ્રભાવિત કરી શકે છે. જાણો ગુજરાતમાં પાટીદારોના વર્ચસ્વ વિશે..

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ શનિવારે જ્યારે ચૂંટણી વ્યૂહ રચનાકાર પ્રશાંત કિશોર કોંગ્રેસના ટોચના અધિકારીઓને મળ્યા ત્યારે મુખ્ય એજન્ડા પ્રભાવશાળી લેઉવા પટેલ વ્યક્તિ નરેશ પટેલને પાર્ટીમાં શામેલ કરવાનો હતો. પાટીદાર સમાજે ભૂતકાળમાં ગુજરાતને પાંચેય પાટીદાર મુખ્યમંત્રીઓમાંથી ચાર મુખ્યમંત્રી આપ્યા છે. પાટીદારોના મતો 182માંથી 60થી વધુ વિધાનસભા મતવિસ્તારોના પરિણામોને પ્રભાવિત કરી શકે છે.

hardik patel

2017ની વિધાનસભાની ચૂંટણીમાં 99 બેઠકોસુધી સીમિત રહ્યા બાદ ભાજપે પાટીદારોને જીતવા માટે ખૂબ મહેનત કરી છે જેનો નોંધપાત્ર હિસ્સો હાર્દિક પટેલના પ્રભાવ હેઠળ કોંગ્રેસમાં ગયો હતો. લગભગ 3 દાયકા પહેલા કોંગ્રેસના તત્કાલીન સીએમ માધવસિંહ સોલંકીએ સત્તા મેળવવા માટે ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ(KHAM) ગઠબંધન સાથે પ્રયોગ કર્યા પછી પાટીદારોએ લોક, સ્ટોક અને બેરલને ભગવા પક્ષમાં ખસેડ્યા હતા.

રાજકીય વિશ્લેષક રશીદ કિડવાઈ કહે છે, 'ગુજરાતની રાજનીતિમાં સ્માર્ટ બાબત એ છે કે પાટીદારોને તમારી સાથે રાખો(કંઈ નહિ તો વિરોધમાં તો નહિ જ). પક્ષોએ જ્ઞાતિજૂથોના એક છત્ર ગઠબંધનનુ સંચાલન કરવુ પડશે જે પાટીદારો માટે એટલુ શત્રુતાપૂર્ણ ન હોય.' કોઈ પણ વિપક્ષ માટે ગુજરાત જીતવુ એક મુશ્કેલ પડકાર હશે કારણકે રાજ્યમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંનેનુ ઘર છે અને તે ત્યાં ભગવો ઝંડો લહેરાવવામાં કોઈ કસર નહિ છોડે.

છેલ્લા પાંચ વર્ષોમાં કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા 77માંથી ઘટીને 65 થઈ ગઈ છે. હાલમાં જ પાર્ટીને એક નેતાએ આરોપ લગાવ્યો કે આગામી ચૂંટણી પહેલા ભાજપ 10 કોંગ્રેસ ધારાસભ્યોને પ્રલોભિત કરવાની કોશિશ કરી રહ્યુ છે. વર્ષ 2020માં કોંગ્રેસે અમુક ધારાસભ્યોના ભાજપમાં શામેલ થયા બાદ પોતાના ધારાસભ્યોને એક રિસૉર્ટમાં પેક કરવા પડ્યા. સાથે જ પાટીદારોના કોંગ્રેસના જવાથી નુકશાન અને ભવિષ્યની સંભાવનાઓ જોતા ભાજપે ગયા વર્ષે પોતાના સીએમ વિજય રૂપાણીને હટાવી પાટીદાર નેતા ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવી દીધા.

માર્ચમાં ભાજપના નેતૃત્વવાળી ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS) દ્વારા આંદોલનને ફરીથી શરુ કરવાની ધમકી આપ્યા બાદ 2015ના પાટીદાર અનામત આંદોલન સંબંધિત બધા 10 કેસોને પાછા લેવાની ઘોષણા કરી. 10 એપ્રિલે પીએમે ઉમિયા માતા(કડવા પાટીદારોના કુળદેવી) મંદિરના સ્થાપના દિવસ સમારંભને સંબોધિત કર્યો. ઘણા કાર્યક્રમોમાં શામેલ થવા માટે તેમનુ 18-20 એપ્રિલે ગુજરાતના 3 દિવસીય પ્રવાસનુ પણ આયોજન છે. ભાજપ પહેલા જ 182માંથી 90 મત વિસ્તારોને કવર કરવા માટે બાઈક રેલી કરી ચૂકી છે.

છેલ્લા અમુક મહિનાઓથી કોંગ્રેસે તેના પાટીદાર સમર્થનને વધુ મજબૂત બનાવવાની ગતિવિધિઓ શરૂ કરી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની નિમણૂક કર્યાના મહિનાઓ પછી પાર્ટીએ હાર્દિક પટેલને કંઈક અંશે નારાજ કરવાની કિંમતે પણ પ્રભાવશાળી નરેશ પટેલનો સંપર્ક કર્યો જેઓ ખોડલધામના વડા છે.

આપ કે જે અગાઉ નરેશ પટેલ પાસે પહોંચી હતી તેણે તાજેતરમાં હાર્દિક પટેલને ઓલિવ શાખા ઓફર કરી હતી. આપે હાર્દિક પટેલને એક એવા નેતા તરીકે બિરદાવ્યા કે જેઓ પોતાના દમ પર આવ્યા છે અને કહ્યુ કે તેમણે કોંગ્રેસ સાથે પોતાનો સમય ન બગાડવો જોઈએ. હાર્દિકે પોતાના પક્ષ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે તમે 2017માં હાર્દિકનો ઉપયોગ કર્યો હતો, 2022માં તમે નરેશભાઈનો ઉપયોગ કરવા માંગો છો અને 2027માં તમે બીજા પાટીદાર નેતાઓનો ઉપયોગ કરશો.

English summary
Dominance of Patidars in Gujarat politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X