ડો. મનમોહન સિંહ: બૂલેટ ટ્રેન પર સવાલ કરનાર વિકાસ-વિરોધી?
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતની મુલાકાતે ડૉ. મનમોહન સિંહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 7 નવેમ્બરે ગુજરાત આવી પહોંચ્યા હતા. તેમણે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય સ્મારક પહોંચ્યા હતા. તેઓ અહીં વેપારીઓ સાથે નોટબંધી અને જીએસટી મામલે વાત કરશે અને ત્યાર બાદ વેપારી સાથે પ્રશ્નોત્તરી પણ કરશે. ડૉ. મનમોહન સિંહની આ ગુજરાત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે 8 નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાતને એક વર્ષ પૂર્ણ થશે અને આ દિવસને કોંગ્રેસ સહિતના વિપક્ષોએ 'કાળા દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી તો ભાજપે આ દિવસને 'કાળા નાણાં વિરોધી દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આથી આગામી ચૂંટણીને જોતાં મનમોહન સિંહની આ મુલાકાતનું મહત્વ પહોંચી જાય છે.

ડૉ. મનમોહન સિંહે અહીં નોટબંધી અંગે વાત કરતાં કહ્યું હતું કે, નોટબંધીનો નિર્ણય વિનાશકારી હતો. 1 દેશ, 1 ટેક્સ અંગે અંતિમ નિર્ણય લેતા પહેલાં જો પીએમ મોદીએ સરદાર પટેલ પાસેથી પ્રેરણા લીધી હોત તો આજે પરિણામ અલગ આવ્યું હોત. શું પીએમ મોદીએ બૂલેટ ટ્રેનના વિકલ્પ તરીકે બ્રૉડ ગેજ રેલવે અંગે વિચાર કર્યો હતો? તેમણે આગળ કહ્યું હતું કે, બૂલેટ ટ્રેન અંગે સવાલ કરવાથી શું કોઇ વિકાસ-વિરોધી બની જાય છે? જીએસટી અને નોટબંધી પર સવાલ કરવાથી શું તમે ટેક્સ બચાવનારા બની જાઓ છો? દરેક પર શંકા કરવાનો આ દ્રષ્ટિકોણ, કોઇને ચોર કે રાષ્ટ્રવિરોધી માનવા, નિમ્ન સ્તરના નિવેદનો, આ બધું લોકતાંત્રિક સંવાદ માટે હાનિકારક છે. નોટબંધી અને જીએસટી આપણા અર્થતંત્ર માટે વિનાશકારી સાબિત થયા છે, આ નિર્ણયે નાના વેપારીઓની કમર તોડી નાંખી છે. મેં પાર્લામેન્ટમાં જે કહ્યું હતું એ જ ફરી કહીશ, નોટબંધી સંગઠિત લૂંટ છે, જે કાયદાકીય રીતે કરવામાં આવી છે.
તેમણે આગળ કહ્યું કે, આંતકવાદના ડરને કારણે ભારતીય વેપારમાં વિશ્વાસ ઘટ્યો છે અને રોકાણમાં ઘટાડો થયો છે. વર્ષ 2016-17 પહેલાં છ માસમાં ભારત ચીનમાંથી 1.96 લાખ કરોડની આયાત કરતું હતું, 2017-18માં આ આંકડો વધીને 2.41 લાખ કરોડ થયો. અર્થવ્યવસ્થામાં રોકડનો ઓછા ઉપયોગ માટે પ્રોત્સાહન આપવા માટે નોટબંધી જેવો કઠોર નિર્ણય ન લેવો જોઇએ. હું આજે ગર્વપૂર્વક કહી શકું છું કે, અમે 140 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. 8 નવેમ્બરનો દિવસ લોકતંત્ર અને અર્થવ્યવસ્થા માટે કાળો દિવસ છે. દુનિયાના કોઇ દેશે આટલો કઠોર નિર્ણય નહીં લીધો હોય, જે દેશનું 86 ટકા ચલણી નાણું સમાપ્ત કરી દે.

ડૉ. મનમોહન સિંહ સરદાર પટેલ સ્મારક પહોંચ્યા કે ત્યાં હાજર લોકોએ 'જય સરદાર' અને 'જો બોલે સોનિહાલ સશ્રીયાકાલ'ના નારા લગાવ્યા હતા, વળી 'સિંઘ ઇઝ કિંગ'ના પણ નારા લાગ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મનમોહન સિંહના વડાપ્રધાનના સમયગાળાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમણે ભારતને મંદીમાંથી બચાવ્યું. તો ચૂંટણી પ્રભારી અશોક ગેહલોતે કહ્યું હતું કે, ભાજપ સરકાર દેશની ખરાબ થતી આર્થિક સ્થિતિને સુધારવા માંગતી હોય મનમોહન સિંહના જ્ઞાનનો લાભ લેવો જોઇએ. ભાજપે તેમના જ્ઞાનનો લાભ લેવામાં નાનમ ન અનુભવવી જોઇએ.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
