ગુજરાતઃ553 આચારસંહિતા ભંગની ફરિયાદો 504 સામે કાર્યવાહી
ગાંધીનગર 8 નવેમ્બરઃ ગુજરાત રાજ્ય વિધાનસભાની ડીસેમ્બર માસમાં યોજાનાર ચૂંટણી માટે ચૂંટણી આચારસંહિતા લાગુ પડતાં રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં આશરે ૫૫૩ જેટલી આચાર સંહિતા ભંગની ફરિયાદો રાજ્ય કક્ષાએ ચૂંટણી પંચ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીઓને મળી છે. જેમાંની ૫૦૪ જેટલી ફરિયાદો સામે જરુરી કાર્યવાહી કરવામાં આવી છે અને ૧૬ જેટલી ફરિયાદોભારત સરકારના ચૂંટણી પંચને મોકલી અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ ૨૭ જેટલા કેસો પણ નોંધવામાં આવ્યા છે.
મુખ્ય નિર્વાચન અધિકારી અનિતા કરવલે આ માહિતી આપતાં આજે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી ન્યાયી અને પારદર્શક રીતે યોજાય તે માટે ચુંટણી પંચે સદ્યન પગલા લીધા છે અને તે માટે આચાર સંહિતાનો અમલ કડકાઈથી કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત તા.૪ નવેમ્બર, ૨૦૧૨ સુધીમાં રાજ્ય કક્ષાએ મુખ્ય ચૂંટણી અધિકારી કક્ષાએ ૪૪ ફરિયાદોમલી હતી, અને જિલ્લા કક્ષાએ ૫૦૯ ફરિયાદોમળી હતી. તે પૈકીની અનુક્રમે ૨૭ અને ૪૭૭ ફરિયાદોઉપર જરુરી કાર્યવાહી કરવામાં આવી છે. કુલ ૧૬ ફરિયાદો ભારત સરકારના ચૂંટણી પંચને મોકલી આપવામાં આવી છે.
અનિતા કરવલે જણાવ્યું હતું કે, આચારસંહિતાનાં ભંગની મુખ્ય ચૂંટણી અધિકારી કક્ષાએ મળેલી ફરિયાદો પૈકી ભારતિય જનતા પક્ષ દ્વારા ૨૩ ફરિયાદો મળી હતી તેમાંની ૧૪ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. જયારે ભારતિય કોંગ્રેસ દ્વારા ૧૧ ફરિયાદો મળી હતી અને તે પૈકીની ૬ જેટલી ફરિયાદોનો નિકાલ કરાયઓ છે. જયારે અન્યો દ્વારા મળેલી કુલ ૧૦ જેટલી ફરિયાદો પૈકીની ૭ ફરિયાદોનો પણ નિકાલ કરાયો છે. જયારે જે કુલ ૧૬ ફ્રીયાદો ભારતીય ચુંટણી પંચનાં અભિપ્રાય માટે મોકલવામાં આવી તેમાં ભાજપ દ્વારા મળેલી ફરિયાદો પૈકીની ૯, કોંગ્રેસ ની ૪ અને અન્યોની ૩ ફરિયાદોનો સમાવેશ થાય છે.
રાજ્ય કક્ષાએ મુખ્ય ચૂંટણી અધિકારીને મળેલી ફરિયાદો ઉપરાંત, રાજ્યનાં ૨૬ જિલ્લામાં પણ ચુંટણીલક્ષી આચારસંહિતાની આવેલી કુલ ૫૦૯ ફરિયાદો પૈકી ૪૭૭ જેટલા કેસમાં પગલા લેવામાં આવ્યા છે. જયારે ૩૧ કેસો તપાસનાં વિવિધ તબક્કામાં પડતર છે. આ પૈકી ગંભીર લાગતાં ૨૭ જેટલા કેસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, તેમ તેમણે કહ્યું હતું.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
