ગુજરાત આવનાર પર્યટકોને હવે અમરેલીમાં પણ જોવા મળશે એશિયાઇ સિંહ

ગુજરાતના મુખ્ય વન્યજીવ સંરક્ષક સી એન પાંડેએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ધારી નજીક અંબાડીને દેવળીયા પાર્કની જેમ વિકસાવવામાં આવશે જેમાં છ થી આઠ સિંહ હશે.
તેમને કહ્યું હતું કે 'આ નદી કિનારે આવેલી એક ખૂબસૂરત જગ્યા છે, તેમાં વાડ લગાવવાનું કામ પુરૂ થઇ ગયું છે. જાનવરો માટે રહેણાંક માળખાનું કામ ચાલુ છે. પર્યટકોને સાચવવા માટે જરૂરી માળખાગત સુવિધાઓ વિકસાવવાનું કામ હજુ બાકી છે.
આને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આર્થિક મદદથી 400 હેક્ટરના વિસ્તારમાં વિકસાવવામાં આવશે. રાજ્ય વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે આ વિસ્તાર આવર્ષના અંત સુધી પર્યટકો માટે ખુલ્લો મુકવામાં આવી શકે છે.
વન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ''ભાવનગર અને અમરેલી આવનાર પર્યટકોને આકર્ષિત કરવા માટે અંબાડીને વિકસાવવામાં આવે છે, નહીંતર આ પર્યટકોને એશિયાઇ સિંહોની ઝલક મેળવવા માટે સાસણ ગીરના જૂનાગઢમાં જવું પડે છે.
સાસણ ગીર એક એવું પર્યટન સ્થળ છે જ્યાં પર્યટકોને આઠ માર્ગેથી જવાની પરવાનગી છે જો કે પર્યટન સીઝન દરમિયાન સહેલાણીઓની ભીડની વ્યવસ્થા માટે ચાર નવા માર્ગ ખોલવામાં આવે છે પરંતુ એ પણ પર્યટકોની માંગણી કરવા માટે અપર્યાપ્ત છે.
રાજ્ય વન વિભાગના અધિકારીઓના અનુસાર પર્યટનને પ્રોત્સાહિત કરવા માટે ખૂશ્બૂ ગુજરાતની જાહેરાત બાદ ગત બે વર્ષોમાં સાસણ ગીર આવનાર પર્યટકોની સંખ્યા બમણી થઇ ગઇ છે. આ જાહેરાત બૉલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કરી છે.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર નાણાંકીય વર્ષ 2012-13માં 4.83 લાખ પર્યટકો ગીર અભ્યારણની મુલાકાતે આવ્યાં હતા જ્યારે 2010-11માં અહીં આવનાર પર્યટકોની સંખ્યા 2.69 હતી. વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગીરમાં આવનાર પર્યટકોની સંખ્યામાં ગત ચાર વર્ષોમાં ઝડપથી વધારો થયો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
