પાટણ: રાહુલ ગાંધીના વડાપ્રધાન પર પ્રહાર, ભ્રષ્ટાચાર-બેરોજગારી નથી દેખાતી મોદીજીને
પાટણમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને પુછ્યો સવાલ હવે કેમ ભષ્ટ્રાચાર અને રોજગારી તમને નથી દેખાતી. જાણો રાહુલનું ભાષણ અહીં
પાટણ: ગુજરાતમાં એકતરફ વિધાનસભાની 89 બેઠકો માટે આજે વહેલી સવારથી જ મોટી માત્રામાં લોકો મતદાન કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ બીજા તબક્કાની બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. પાટણમાં આવેલા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે કહ્યું કે, "હવે મોદીજી વિકાસની વાતો સિવાય બધી જ વાતો કરે છે. મણિશંકર અય્યરે તેમના વિશે કંઈક કહ્યું તો એ તેમના માટે મુદ્દો બની જાય છે. તમે બધા એક વાત નોંધી લો કે આ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીજીએ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો નથી. જાણો છો કેમ? કારણ કે અમિત શાહના દિકરાની કંપનીએ 50 હજાર રૂપિયાને 50 હજાર કરોડ રૂપિયા બનાવી દીધા છે. હું આજે ખુલીને બોલીશ અને ગુજરાતના મુદ્દોઓની વાત કરીશ. કારણ કે જે વ્યક્તિ સત્ય બોલે છે તે હંમેશા ડર્યા વગર નીડરતાથી બોલે છે. પરંતુ તમે વડાપ્રધાન મોદીનું કાલનું જ ભાષણ સાંભળી લો. તેમાં તેમણે 70 ટકા વાતો તો પોતાની જ કરી છે. આ ચૂંટણી તેમના કે મારા વિષયની ચૂંટણી નથી. પરંતુ ગુજરાતની પ્રજાની ચૂંટણી છે.

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, "આ ભાજપના લોકો પાસે કેન્દ્રમાં સરકાર છે, ઉત્તરપ્રદેશની સરકાર છે, મહારાષ્ટ્રમાં સરકાર છે, આઈબી છે, બધું જ છે. પરંતુ કોંગ્રેસ પાસ માત્ર સત્ય છે. હું માત્ર કોંગ્રેસનું સત્ય બોલું છું. આ ભાજપના લોકોએ 22 વર્ષ વર્ષમાં ગુજરાતમાં શું વિકાસ કર્યો છે, તેનું સત્ય હું બોલીશ." નેનો પ્રોજેક્ટ પર ફરી એકવાર રાહુલ ગાંધીએ આક્ષેપો કરતા કહ્યું કે, "આ સમગ્ર જાદૂનો ખેલ છે. 33000 કરોડ રૂપિયા, તમારી જમીન, તમારી વીજળી બધું જ આ નેનો પ્રોજેક્ટમાં ગાયબ થઈ ગયું છે. મજા આવી ગઈ. પરંતુ કોને? માત્ર 5થી 10 ઉદ્યોગપતિઓને."
નોટબંધીના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, "વડાપ્રધાનજીએ દેશના ચોરોના કાળા નાણાંને સફેદ કરી નાખ્યા. મોદીજી હવે રોજગારની વાતો નથી કરતા. નોટબંધીની વાતો પણ નથી કરતા. તમે ક્યારેય કોઈ સૂટબૂટવાળાને બેંકોની લાઈનમાં નહીં જોયા હોય. રોતારાત મોદીજીની સરકારે ગબ્બરસિંહ ટેક્સ પણ સામાન્ય જનતા પર નાખી દીધો. મોદીજીએ કહ્યું કે ભાજપ નર્મદાના પાણીના સહારે ચૂંટણી લડશે. પરંતુ આજે પણ અનેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડ્યુ નથી. ગુજરાતની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી રોજ મુદ્દાઓ બદલી રહ્યા છે. "
-
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર












Click it and Unblock the Notifications
