જયંતિ ભાનુશાળી: પત્નીનો ભાજપ નેતા છબીલ પટેલ પર હત્યાનો આરોપ
ભાજપના પૂર્વ વિધાયક જયંતિ ભાનુશાળીની સોમવારે રાત્રે ચાલતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
ભાજપના પૂર્વ વિધાયક જયંતિ ભાનુશાળીની સોમવારે રાત્રે ચાલતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા પછી તેમના મૃતદેહને માલિયા લાવવામાં આવ્યો હતો. જયંતિ ભાનુશાળીની હત્યાની ખબર મળતા જ તેમનો પરિવાર માલિયા પહોંચ્યો. તેમની પત્નીએ આરોપ લગાવતા કહ્યું કે ભાજપ નેતા છબીલ પટેલે જ તેમના પતિની હત્યા કરાવી છે. જયંતિ ભાનુશાળીની પત્ની મધુબેન ભાનુશાળીએ મીડિયાને જણાવ્યું કે છબીલ પટેલે જ મારા પતિની હત્યાનું ષડયંત્ર રચ્યું છે. તેને સોપારી આપીને મારા પતિની હત્યા કરાવી છે.
આ પણ વાંચો: ભાજપ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં હત્યા, લાગ્યો હતો રેપનો આરોપ

જયંતિ ભાનુશાળી પર રેપનો આરોપ લાગ્યો હતો
આપને જણાવી દઈએ કે જયંતિ ભાનુશાળી એ ગયા વર્ષે જ પ્રદેશ ઉપાધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યું હતું. ત્યારપછી મહિલાએ પોતાનો કેસ ગુજરાત હાઈકોર્ટથી પાછો લઇ લીધો હતો. આપને જણાવી દઈએ કે છબીલ પટેલ વર્ષ 2014 દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. બંને વચ્ચે વિવાદ ત્યારે વધ્યો જયારે પટેલ પેટાચૂંટણીમાં અબડાસા સીટથી હારી ગયા અને તેમને પોતાની હારનું ઠીકરું જયંતિ ભાનુશાળી પાર ફોડ્યું. ગયા વર્ષે રેપ આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

જયંતિ ભાનુશાળીની પત્નીએ છબીલ પટેલ પર આરોપ લગાવ્યો
જયંતિ ભાનુશાળીના ભાઈ શંભુ ભાનુશાળીએ જણાવ્યું કે મારા ભાઈને પહેલાથી જ પોતાની હત્યાની આશંકા હતી. છબીલ પટેલે છોકરીઓ મામલે મારા ભાઈને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં અસફળ રહ્યા પછી તેને ધમકી આપી હતી કે તેઓ રાજકારણથી જયંતિ ભાનુશાળીનું નામોનિશાન મિટાવી દેશે. એટલું જ નહીં પરંતુ આગળ પણ છબીલ પટેલ ઘ્વારા પરિવારના અન્ય લોકો પર હુમલાની આશંકા વ્યકત કરવામાં આવી હતી.

પોલીસે કાર્યવાહી ઝડપી કરી
જયંતિ ભાનુશાળી ના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો છે. આ મામલાની જાંચ માટે રેલવેએ એટીએસ અને ક્રાઇમબ્રાન્ચ સાથે મળીને એસઆઈટી ગઠિત કરી છે. જયંતિ ભાનુશાળી સાથે મુસાફરી કરી રહેલા પવન મૌર્યને પણ પૂછપરછ માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો છે. જયારે બીજી બાજુ સંદીગ્દ છબીલ પટેલને શોધવા માટે પોલીસે કાર્યવાહી ઝડપી કરી દીધી છે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
