Today's ગુજરાતઃ અમદાવાદમાં છ કલાક સુધી લટકતો રહ્યો મૃતદેહ
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, ગુજરાતે સરકાર દ્વારા રાજ્યના પોલીસદળમાં 33 ટકા મહિલા અનામતનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દળમાં 33 ટકા અનામત લાવનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બની ગયું છે. સુરતમાં વરાછા સ્થિત ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ મંગળવારે પોતાના ચારેય બાળકોને શાળાએ મોકલી દીધા બાદ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

રાજ્યના પોલીસદળમાં હશે 33 ટકા મહિલા અનામત
ગુજરાતે સરકાર દ્વારા રાજ્યના પોલીસદળમાં 33 ટકા મહિલા અનામતનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દળમાં 33 ટકા અનામત લાવનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બની ગયું છે. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ નિર્ણય અંગેની જાહેરાત ગુજરાત પોલીસ એકેડમમી-કરાઇ ખાતે યોજાયેલા વિવિધ તાલિમાર્થીઓના દિક્ષાંત સમારોહ બાદ કરી હતી.

રાજપરા ગામે બાળલગ્નઃ છ સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે ચાર મહિના પહેલા થયેલા બાળ લગ્નના સંબંધમાં પોલીસે બન્ને પક્ષના વેવાઇવેલા અને ગોર મહારાજ સહિત છ લોકો સામે ગુનો નોંધ્યો છે. બનાવ અંગે મળેલી માહિતી અનુસાર રાજપરા ગામે રહેતા લાખા અરજણ કારાવદરાની સગીર વયની પુત્રીના લગ્ન ભાવેશ મોઢવાડિયા સાથે થયા હતા, જેમાં ગોર અશ્વિનભાઇ પણ હજાર હતા. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

સુરતમાં વિજ કરંટે બુઝાવ્યો જીવન દીપ
સુરતમાં સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક ડાઇંગ પ્રિન્ટિંગ મીલમાં સિલાઇ મશીન પર કામ કરતી વખતે કારગીરને કરન્ટ લાગ્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે જણવ્યા પ્રમાણે મૃતક મુળ બિહારનો વતની છે અને ગોલ્ડન રોડ શ્યામભાઇ ચાલમાં રહે છે.

સુરતમાં ચાર સંતાનોની માતાનો આપઘાત
સુરતમાં વરાછા સ્થિત ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ મંગળવારે પોતાના ચારેય બાળકોને શાળાએ મોકલી દીધા બાદ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના વતની ગજાનંગ સોનવણેના પત્ની સંગીતાબેને સવારે ઘરની છતના હુક સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી. પોલીસે આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

અમદાવાદઃ છ કલાક સુધી લટકતો રહ્યો મૃતદેહ
અમદાવાદના અમરાઇવાડી વિસ્તાર ખાતે પોલીસ ચોકી નજીક એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે આ વિસ્તાર કઇ પોલીસની હદમાં આવે તે અંગે વિવાદ થયો હતો જેના કારણે મૃતદેહ છ કલાક સુધી લટકતો રહ્યો. આખરે અમરાઇવાડી પોલીસ મથકના પીઆઇ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, પ્રાથમિક તપાસમાં યુવક શ્રમિક હોવાનું બહાર આવ્યું છે, પરંતુ તેની ઓળખ થઇ શકી નથી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
