સુરત:કામરેજમાં BJPની ઓફિસ બહાર પાસના કાર્યકર્તાઓનો હોબાળો
સુરતમાં ફરી એકવાર કામરેજમાં ભાજપ કાર્યાલય સામે હોબાળોકામરેજ બાદ વરાછા અને કરંજમાં પણ હોબાળોઆ અંગે વધુ વાંચો અહીં...
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે, ત્યારે ફરી એકવાર સુરતમાં પાસના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો હતો. સુરતના કામરેજ વિસ્તારમાં ભાજપના મુખ્ય કાર્યાલયની સામે પાસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. લગભગ 100-150 જેટલા કાર્યકર્તાઓ ઝંડા લઇને ભાજપના કાર્યાલયની બહાર પહોંચ્યા હતા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કામરેજના યોગીચોક વિસ્તારમાં આ ઘટના બની હતી. કામરેજ વિધાનસભાના ભાજપના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન થનાર હતું, એ પહેલાં જ આ ઘટના બની હતી.

મોટર સાયકલ પર આવેલા પાસના કાર્યકરોને પોલીસે ઘટના સ્થળેથી દુર કર્યા હતા. પાસના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા સમજાવીને પરત મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ શુક્રવારે સવારે યોગી ચોકમાં હંગામો કરવા બદલ સરથાણા પોલીસે 10થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પણ આ જ વિસ્તારોમાં સૌથી વધારે અસર જોવા મળી હતી. ગુરૂવારે રાત્રે 8-8.30 વચ્ચે આ ઘટના બની હતી. ત્યાંથી પાસના કાર્યકર્તાઓ વરાછાના કાર્યાલય પર પણ પહોંચ્યા હતા અને એ પછી કરંજ પહોંચ્યા હતા. અહીં પોલીસ અને પાસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો, જેના કારણે મામલો વધુ બગડ્યો હતો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
