અમદાવાદ રથયાત્રાને લઇ સંત દિલીપદાસે ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો
અમદાવાદ રથયાત્રાને લઇ સંત દિલીપદાસે ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો
અમદાવાદઃ ભગવાન જગન્નાથ મંદિર અમદાવાદની રથયાત્રા અદાલતની રોકને પગલે મંદિર પરીસરમાં જ નીકળી હતી, પરંતુ તેના એક દિવસ બાદ જ હવે મંદિરના સંત દિલીપદાસજી મહારાજે સરકાર પર સીધો આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારે પોતાનું વચન ભંગ કર્યું છે. તેમને સરકાર પર ભરોસો હતો કે રથયાત્રા કાઢવાની મંજૂરી મળી જશે પરંતુ અદાલતે તેના પર રોક લગાવી દીધી.

ખોટા લોકો પર ભરોસો કર્યો
મંદિરના સંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે અમે ખોટા લોકો પર ભરોસો કર્યો છે, સરકારે અમારી સાથે વચનભંગ કર્યું. એક વ્યક્તિએ મને કહ્યું હતું કે યાત્રા નીકળશે, અમને એ લોકો પર બહુ ભરોસો હતો પરંતુ અમારી સાથે ગેમ રમાણી, જેમના પર ભરોસો રાખ્યો તે ટૂટી ગયો. અમાદાવાદના આરાધ્ય દેવ ભગવાન જગન્નાથની રથયાત્રા ગત 142 વર્ષથી સતત નીકળી રહી છે, જણાવવામા આવી રહ્યું છે કે વર્ષ 1985માં હિન્દુ મુસ્લિમ દંગા દરમિયાન પણ રથયા્રા કાઢવામા આવી હતી પરંતુ આ વખતે કોરોના મહામારીને પગલે ગુજરાત હાઇકોર્ટે તેના પર રોક લગાવી દીધી જેને પગલે મંગળવારે મંદિર પરિસરમાં જ યાત્રા કાઢવામાં આવી અને સીમિત શ્રદ્ધાળુઓને જ દર્શન કરવા દેવામાં આવ્યા.

સરકારે ભરોસો તોડ્યો
મંદિર ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે તેમને સરકારે ભરોસો અપાવ્યો હતો કે રથયાત્રા કાઢવામાં આવશે, બીજી તરફ હાઇકોર્ટે એક પક્ષકાર તરીકે અમારો પક્ષ પણ જાણવો જોઇતો હતો. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન આ સવાલ પણ ઉઠાવ્યો હતો કે મંદિર પ્રશાસન આમાં ખુદ પકાર નથી બની રહ્યું અને થર્ડ પાર્ટી અરજીઓ કરી રહી છે.

મંદિર પ્રશાસન અને સરકાર આમને સામને
રથયાત્રાને લઇ મંદિર પ્રશાસન અને સરકાર આમને સામને આવી ગયા છે, મહંત દિલીપ દાસ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું કહેવું છે કે સરકારે પણ તેમને અંધારામાં રાખ્યા છે, સમય રહેતા ઉચ્ચતમ ન્યાયાલયમાં જવા દેવામાં આવતા તો પુરીની રથયાત્રા તરફથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની 143મી ઐતિહાસિક રથયાત્રા પણ કાઢવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સરકાર છેલ્લે સુધીકોરોના સંક્રમણના ખતરાનું આંકલન કરતી રહી જેન પગલે કાનૂની લડાઇમાં હારી ગઇ અને રથયાત્રાન પોતાની પારંપરિક જડોથી કાઢવાની મંજૂરી નથી મળી શકી.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
