અમદાવાદ રથયાત્રાને લઇ સંત દિલીપદાસે ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો
અમદાવાદ રથયાત્રાને લઇ સંત દિલીપદાસે ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો
અમદાવાદઃ ભગવાન જગન્નાથ મંદિર અમદાવાદની રથયાત્રા અદાલતની રોકને પગલે મંદિર પરીસરમાં જ નીકળી હતી, પરંતુ તેના એક દિવસ બાદ જ હવે મંદિરના સંત દિલીપદાસજી મહારાજે સરકાર પર સીધો આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારે પોતાનું વચન ભંગ કર્યું છે. તેમને સરકાર પર ભરોસો હતો કે રથયાત્રા કાઢવાની મંજૂરી મળી જશે પરંતુ અદાલતે તેના પર રોક લગાવી દીધી.

ખોટા લોકો પર ભરોસો કર્યો
મંદિરના સંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે અમે ખોટા લોકો પર ભરોસો કર્યો છે, સરકારે અમારી સાથે વચનભંગ કર્યું. એક વ્યક્તિએ મને કહ્યું હતું કે યાત્રા નીકળશે, અમને એ લોકો પર બહુ ભરોસો હતો પરંતુ અમારી સાથે ગેમ રમાણી, જેમના પર ભરોસો રાખ્યો તે ટૂટી ગયો. અમાદાવાદના આરાધ્ય દેવ ભગવાન જગન્નાથની રથયાત્રા ગત 142 વર્ષથી સતત નીકળી રહી છે, જણાવવામા આવી રહ્યું છે કે વર્ષ 1985માં હિન્દુ મુસ્લિમ દંગા દરમિયાન પણ રથયા્રા કાઢવામા આવી હતી પરંતુ આ વખતે કોરોના મહામારીને પગલે ગુજરાત હાઇકોર્ટે તેના પર રોક લગાવી દીધી જેને પગલે મંગળવારે મંદિર પરિસરમાં જ યાત્રા કાઢવામાં આવી અને સીમિત શ્રદ્ધાળુઓને જ દર્શન કરવા દેવામાં આવ્યા.

સરકારે ભરોસો તોડ્યો
મંદિર ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે તેમને સરકારે ભરોસો અપાવ્યો હતો કે રથયાત્રા કાઢવામાં આવશે, બીજી તરફ હાઇકોર્ટે એક પક્ષકાર તરીકે અમારો પક્ષ પણ જાણવો જોઇતો હતો. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન આ સવાલ પણ ઉઠાવ્યો હતો કે મંદિર પ્રશાસન આમાં ખુદ પકાર નથી બની રહ્યું અને થર્ડ પાર્ટી અરજીઓ કરી રહી છે.

મંદિર પ્રશાસન અને સરકાર આમને સામને
રથયાત્રાને લઇ મંદિર પ્રશાસન અને સરકાર આમને સામને આવી ગયા છે, મહંત દિલીપ દાસ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું કહેવું છે કે સરકારે પણ તેમને અંધારામાં રાખ્યા છે, સમય રહેતા ઉચ્ચતમ ન્યાયાલયમાં જવા દેવામાં આવતા તો પુરીની રથયાત્રા તરફથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની 143મી ઐતિહાસિક રથયાત્રા પણ કાઢવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સરકાર છેલ્લે સુધીકોરોના સંક્રમણના ખતરાનું આંકલન કરતી રહી જેન પગલે કાનૂની લડાઇમાં હારી ગઇ અને રથયાત્રાન પોતાની પારંપરિક જડોથી કાઢવાની મંજૂરી નથી મળી શકી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
