ખેડૂતો માટે ગુજરાત સરકાર ૪ર કરોડનું પ્રિમીયમ ભરે છે: બાબુભાઈ બોખિરીયા

farmer
ગાંધીનગર, 7 માર્ચ: ભાવનગરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ વાઘાણીના એક પ્રશ્નના ઉત્તરમાં કૃષિ મંત્રી બાબુભાઈ બોખિરીયાએ જણાવ્યું હતું કે, તા. ૧ એપ્રિલ, ર૦૧૦ થી ૩૧ માર્ચ, ર૦૧ર સુધીમાં ભાવનગર જિલ્લામાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ મળેલી ર૪૩ અરજીઓમાંથી ૧૩ર અરજીઓ મંજૂર કરી. કુલ રૂા. ૧ કરોડ ૩ર લાખની સહાય ચુકવવામાં આવી છે. આ યોજના અન્વયે રાજ્યના ૭૦ લાખ ખેડૂતોને આવરી લેવાયા છે. આ યોજના પેટે રાજ્ય સરકાર દર વર્ષે રૂા. ૪ર કરોડનું પ્રિમીયમ ભરે છે, તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.

કૃષિ મંત્રી બાબુભાઈ બોખિરીયાએ આજે ગુજરાત વિધાનસભામાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અન્વયે ૭/૧ર અને ૮-અમાં ખેડૂત તરીકે જેમનું નામ હોય તેવા ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં એક લાખ, બે હાથ કે બે પગ કપાઇ જાય તો એક લાખ, એક હાથ કે એક પગ કપાઇ જાય તો રૂા. પ૦ હજારની રકમ ચુકવવામાં આવે છે. મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ જરૂરી છે. આમ છતાં હડકાયું કુતરું કરડયું હોય તો ડોક્ટરના લખાણ ઉપર આવી સહાય ચુકવવામાં આવે છે. કુદરતી મૃત્યું કે આપઘાત સિવાયના કિસ્સામાં આવી સહાય ચુકવાતી નથી.

ભરૂચ જિલ્લામાં ૧ એપ્રિલ, ર૦૧૧થી ૩૧ માર્ચ, ર૦૧ર દરમ્યાન મળેલી ૬૮ અરજીઓમાંથી પ૬ અરજીઓ મંજૂર કરી રૂા. પ૬ લાખની સહાય ચુકવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X