ઉનાકાંડ પછી પીડિત દલિતોએ કર્યો હિંદુ ધર્મનો ત્યાગ, જણાવ્યું આ દુખ
ઉનાકાંડના પીડિત દલિતોનો ભાજપ સરકાર પર આરોપ નથી પૂરા કર્યા કોઇ પણ વાયદા. આ દલિતોએ રવિવારે અપનાવ્યો હતો બૌદ્ધ ધર્મ. જાણો આ અંગે વધુ અહીં.
ગુજરાતમાં ઉનાકાંડના પીડિત દલિતોએ પોતાના ધર્મનું પરિવર્તન કરાવ્યું છે. રવિવારે અનેક દલિત પરિવારોએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. ઉનાના મોમટા સામઢિયાલામાં ચાંપતો પોલીસ બંદોવસ્ત વચ્ચે અનેક દલિતોએ બૌદ્ધ ધર્મની દિક્ષા લીધી હતી. દલિતોએ આ પ્રસંગે તેવો પણ આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં તેમને મંદિરના નથી જવા દેવામાં આવતા. ધર્મ પરિવર્તન કરાવનાર એક પીડિત રમેશ સરવૈયાએ કહ્યું કે તેમની સાથે અન્યાય થયો છે. ઉનાકાંડના જે પણ આરોપી હતા તે હાલ જમાનત લઇ બહાર આવી ગયા છે. સાથે જ પીડિતએ કહ્યું કે સરકારે તેમના વાયદા પૂરા નથી કર્યા. ધર્મ પરિવર્તન પછી તેમણે કહ્યું કે તેમનો બીજો જન્મ થયો છે અને તે ખૂબ જ ખુશ છે.

નોંધનીય છે કે 11 જુલાઇ 2016ના રોજ કેટલા લોકોએ ગૌરક્ષાના નામે આ દલિતોને નગ્ન હાલતમાં કાર સાથે બાંધીને લોખંડના રોડથી તેમની પીટાઇ કરી હતી. તે પછી આ મામલે સમગ્ર ગુજરાત સમેત દિલ્હી સુધી વિરોધ થયો હતો. અને તે વખતના ગુજરાતમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ અહીં દોડતા આવવું પડ્યું હતું. આ પછી વિજય રૂપાણીએ પણ આ દલિતોને ન્યાય આપવાનું જણાવ્યું હતું. સાથે જ કોંગ્રેસ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેનો મુદ્દો બનાવ્યો હતો. અને ચૂંટણી પહેલા રાહુલ ગાંધીથી લઇને હાર્દિક પટેલ પણ આ લોકોને અહીં મળવા આવ્યા હતા.
A number of Dalits converted to Buddhism in #Gujarat's Una, said, we are not considered Hindu and we are not even allowed to enter temples, so we have converted to Buddhism. pic.twitter.com/zk3e30dHPK
— ANI (@ANI) April 29, 2018
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ











Click it and Unblock the Notifications
