ગુજરાતઃ વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી થયા કોરોના સંક્રમિત, ટ્વિટ કરીને આપીને માહિતી
ગુજરાતમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ કોરોનાથી સંક્રમિત થયાના સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદઃ કોરોના સંક્રમણની બીજી લહેરે સમગ્ર દેશમાં કહેર વર્તાવ્યો છે એવા સમયમાં ગુજરાતમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ કોરોનાથી સંક્રમિત થયાના સમાચાર સામે આવ્યા છે. જિગ્નેશ મેવાણીએ ખુદ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેઓ છેલ્લા 10 દિવસથી પોતાના મત વિસ્તારમાં હતા અને પોતાની તબિયત નાદુરસ્ત લાગતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પૉઝિટીવ આવ્યો હતો.
જીગ્નેશ મેવાણીની તબિયત હાલમાં સ્થિર છે અને તેઓ આઈસોલેશનમાં છે. તેમણે ટ્વિટ કરીને અપીલ કરી છે કે તેમના સંપર્કમાં આવેલા લોકો ક્વૉરંટાઈન થઈ જાય અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. વળી, જિગ્નેશ મેવાણીએ લોકોને માસ્ક પહેરવા, ઘરમાં રહેવા અને સોશિયલ ડિસ્ટંસીંગ જાળવવાની પણ અપીલ કરી છે. જિગ્નેશ મેવાણીએ વધુમાં પોતાના ટ્વિટમાં જીવના જોખમે ફરજ બજાવી રહેલ મેડિકલ સ્ટાફ, ડૉક્ટરો સહિત અન્ય ફ્રંટલાઈન વર્કર્સનો આભાર માન્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઘણા મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરભાઈ પટેલ, બાબુ જમના પટેલ, શૈલેષ મહેતા, વિજય પટેલ, ભીખા બારૈયા, નૌશાદ સોલંકી હર્ષ સંઘવી જેવા ઘણા ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત વીઆઈપીની સુરક્ષામાં તૈનાત 17 જવાનો પણ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.
રેમડેસિવિર ન મળે તો ગભરાશો નહિ, તેના વિના પણ ઈલાજ સંભવ