Gujarat Winter: રાજ્યમાં કઈ તારીખથી વધશે ઠંડી, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Winter: શ્રીલંકામાં વિનાશ વેર્યા બાદ 'Ditwah' ચક્રવાત ભારતની નજીક પહોંચ્યું, ગુજરાત પર વાવાઝોડાની કોઈ સીધી અસર નહીં થાય, પરંતુ આગામી 3-4 દિવસમાં તાપમાન 2થી 3 ડિગ્રી ગગડતાં ઠંડી વધશે, તમિલનાડુમાં રાહત અને બચાવ કાર્ય માટે વડોદરાથી NDRFની ટીમો રવાના કરાઈ.

હવામાન વિભાગે Ditwah વાવાઝોડની ગુજરાત પર અસરને નકારી છે. ગુજરાતના હવામાનની વાત કરીએ તો આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદછાયું વાતાવરણ રહેશે અને સવાર ધુમ્મસ રહે તેવી શક્યતા છે. જો કે આગામી 3થી 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી. જો કે આગામી દિવસોમાં ગુજરાતમાં 2થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા. ઉપરાંત ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં આગામી દિવસોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.
શ્રીલંકામાં ભારે તબાહી મચાવ્યા બાદ 'Ditwah' ચક્રવાત હવે ભારતની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. આ વાવાઝોડું તમિલનાડુના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ રહ્યું છે, જેની સૌથી વધુ અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં જોવા મળશે. આ ત્રણેય રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી છે.
તમિલનાડુમાં વ્યાપક તૈયારીઓ અને રાહત કાર્ય
'Ditwah' ચક્રવાતના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે.
- બચાવ ટીમો: રાજ્યભરમાં 28 ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે.
- રાહત શિબિરો: સંવેદનશીલ જિલ્લાઓમાં 6,000 રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે.
- વડોદરાથી NDRF: નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 6ઠ્ઠી બટાલિયનની પાંચ ટીમોને ગુજરાતના વડોદરાથી ચેન્નાઈ એરલિફ્ટ કરવામાં આવી છે. આ ટીમો FWR અને CSSR સાધનોથી સજ્જ છે અને રાહત-બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવશે.
શ્રીલંકામાં વિનાશ અને ફ્લાઇટ્સ રદ
ચક્રવાત 'Ditwah'એ પડોશી શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યો છે, જ્યાં મુશળધાર વરસાદને કારણે ઓછામાં ઓછા 153 લોકોના મોત થયા છે અને લગભગ 200 લોકો હજુ પણ ગુમ છે.
- એરપોર્ટ પર અસર: ચેન્નાઈ એરપોર્ટે શનિવારે 54 ફ્લાઇટ્સ રદ કરી હતી અને રવિવાર માટે વધુ 47 ફ્લાઇટ્સ (36 સ્થાનિક અને 11 આંતરરાષ્ટ્રીય) રદ કરવાની જાહેરાત કરી છે.
-
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
