'હર ઘર તિરંગા', પીએમ મોદીના માતા હીરાબાએ બાળકોમાં રાષ્ટ્રધ્વજનુ કર્યુ વિતરણ
આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરુપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે ગાંધીનગરના રાયસણમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ 100 વર્ષની વયે પણ પોતાના નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું અને બ
આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરુપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે ગાંધીનગરના રાયસણમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ 100 વર્ષની વયે પણ પોતાના નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું અને બાળકો સાથે હીરાબાએ પણ તિરંગો લહેરાવ્યો હતો. હિરાબાએ પોતાના ઘરની નજીકમાં આવેલ ગુડા ના મકાનોમાં રહેતાં મધ્યમવર્ગિય અને સામાન્ય પરિવારનાં બાળકોને તિરંગાનું વિતરણ કર્યું ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

ઉલ્લેખનિય છેકે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ ત્રણ દિવસ દેશના સ્વાભિમાનની ઉજવણી 'હર ઘર તિરંગા'થી થશે. દરેક ઘર પર તિરંગો ફરકશે એ માહોલ જ અલગ હશે. 1 ઓગસ્ટથી કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસ મારફત રાષ્ટ્રધ્વજ આપવાનું શરૂ કર્યું છે, સાથે સાથે ગુજરાતનાં 22 જેટલાં ખાદી ભવનના કેન્દ્રોમાંથી વેચાણ થઈ રહ્યું છે. આ વખતે 15 ઓગસ્ટે પોસ્ટ ઓફિસો ચાલુ રહેવાની છે અને ત્યાંથી પણ કેન્દ્ર સરકારે નક્કી કરેલા ભાવમાં રાષ્ટ્રધ્વજ મળશે. હકીકતમાં રાષ્ટ્રધ્વજ ખાદીનો જ ફરકવો જોઈએ, પણ સરકારે હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા ટેક્સટાઈલના કાપડમાં રાષ્ટ્રધ્વજ પ્રિન્ટ કરવાની છૂટ આપી છે. ફૂટપાથ પર અલગ અલગ કિંમતથી રાષ્ટ્રધ્વજનું વેચાણ થાય છે.
સામાન્ય રીતે તિરંગો ખાદીનો જ ફરકાવવાનો નિયમ છે. આ વખતે ત્રણ દિવસ માટે ટેક્સટાઈલના ફ્લેગની છૂટ અપાઈ છે. અલબત્ત, ખાદી ભવનોમાંથી નાનાથી લઈ મોટાં રાષ્ટ્રધ્વજ વેચાઈ રહ્યા છે. દરેક રાષ્ટ્રધ્વજની સાઇઝ મુજબ ભાવ નક્કી છે. ખાદીમાં પણ બે પ્રકારના રાષ્ટ્રધ્વજ બને છે. સિંગલ તાર અને ડબલ તારના. એમાં ડબલ તારનો ફ્લેગ જાડો હોય અને બે તરફ સિલાઈવાળો હોય છે. ગુજરાતમાં 22 જેટલાં ખાદી કેન્દ્રો છે. એમાંથી 8 કેન્દ્ર અમદાવાદમાં છે. આ તમામ કેન્દ્રોમાંથી છેલ્લા સપ્તાહમાં જ 23 લાખ રૂપિયાના તિરંગાનું વેચાણ થઈ ચૂક્યું છે અને બીજા 60 લાખ રૂપિયાના રાષ્ટ્રધ્વજ અમદાવાદ 9 તારીખે મંગળવારે સાંજે આવી પહોંચ્યા છે અને એનું વેચાણ પણ શરૂ કરી દેવાયું છે.
-
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા







Click it and Unblock the Notifications
