હાર્દિક પટેલ 6 વર્ષથી ભાજપના સંપર્કમાં હતા, પાટીદાર સમાજને છેતર્યાઃ કોંગ્રેસનો મોટો આરોપ
હાર્દિક પટેલે કોંગ્રસમાંથી રાજીનામુ આપ્યા બાદ તેમના પર હુમલા શરુ થઈ ગયા છે.
અમદાવાદઃ હાર્દિક પટેલે કોંગ્રસમાંથી રાજીનામુ આપ્યા બાદ તેમના પર હુમલા શરુ થઈ ગયા છે. કોંગ્રેસે હાર્દિક પર આરોપ લગાવ્યો છે કે તે છેલ્લા 6 વર્ષથી ભાજપના સંપર્કમાં હતા. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોંગ્રેસનો ચહેરો અને પાટીદાર નેતા હાર્દિક પટેલે બુધવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ ત્યારબાદથી સતત તેમના પર હુમલા ચાલુ છે. ગુજરાતના વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહેલે આરોપ લગાવ્યો છે કે હાર્દિકે રાજીનામુ આપીને પાટીદાર સમાજને છેતર્યા છે.

ગુજરાતના વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહેલે હાર્દિક પર વ્યક્તિગત લાભ માટે પોતાના પાટીદાર સમાજને છેતરવાનો આરોપ લગાવ્યો. જ્યારે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યુ કે હાર્દિક અન્ય પાર્ટીઓ સાથે મળેલા હતા. તેમનામાં અનુશાસનની કમી હતી. શર્માએ કહ્યુ કે હાર્દિક બેઈમાની અને છેતરપિંડીની રાજનીતિમાં લિપ્ત હતા. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ ગુજરાતમાં પાર્ટીના નેતાઓએ બુધવારે તેમના પર હુમલા કર્યા અને તેમને બેઈમાન અને તકવાદી ગણાવી. તેમના પર છેલ્લા 6 વર્ષોથી સત્તારુઢ ભાજપના સંપર્કમાં રહેવાનો પણ આરોપ લગાવ્યો.
કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યુ કે કોંગ્રેસે તેમને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન સ્ટાર પ્રચારક બનાવ્યા હતા. તેઓ તેમના ભાષણોમાં ભાજપની ટીકા કરતા હતા. અચાનક શું બદલાઈ ગયું? તેઓ ભાજપના સંપર્કમાં હતા. શર્માએ વધુમાં કહ્યું કે, હાર્દિક પર આરોપ લગાવતા તેને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેઓ સમગ્ર રાજ્ય પાર્ટી એકમ પર સંપૂર્ણ નિયંત્રણ ઈચ્છતા હતા. પાટીદાર નેતા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાના અહેવાલો આવતાં હાર્દિક પણ નારાજ હતો. હાર્દિકે વિચાર્યું હતું કે નરેશ પટેલ પાર્ટીમાં તેનું સ્થાન લેશે.
તેમણે કહ્યું કે મેં જોયું છે કે હાર્દિક પટેલમાં કોઈપણ રાજકીય વ્યવસ્થામાં રહેવા માટે અનુશાસનનો અભાવ છે, જો તમારો વ્યક્તિગત એજન્ડા હોય તો તમે કોઈપણ સિસ્ટમમાં ટકી શકતા નથી. રઘુ શર્માએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પાર્ટી પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે નરેશ પટેલને પક્ષમાં લેવામાં ન આવે અને માત્ર તેમની વાત સાંભળવામાં આવે. તે રાજકીય મેદાન મેળવવા માટે રાહુલ ગાંધીની નજીક રહેવાનો પ્રયાસ કરતો હતો. હવે તે નેતૃત્વની ટીકા કરી રહ્યો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
