હાર્દિક પટેલ જાહેર કરશે પોતાનું વસિયતનામું, જાણો કોને આપશે પોતાનો વારસો
રાજદ્રોહના કેસમાં ગેરહાજર રહેતાં હાર્દિકની મુશ્કેલીઓ વધશે, ચાર્જફ્રેમ તૈયાર કરવામાં આવશે.
હાર્દિક પટેલ સામેના રાજદ્રોહના કેસમાં આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાર્દિક પટેલે સુનાવણી પહેલા પણ કેટલીય વખત હાર્દિક કોર્ટમાં હાજર નહોતો રહ્યો. ત્યારે આ વખતે સુનાવણી પહેલા જ કોર્ટે હાર્દિકને સમન્સ મોકલીને હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. જો કે આ વખતે પણ હાર્દિક પટેલે કોર્ટના આદેશનો અનાદર કર્યો અને હાજર ન રહેતાં હવે હાર્દિકની મુશ્કેલીઓમાં વધારો થશે.

હાર્દિક પટેલ કોર્ટમાં ગેરહાજર રહ્યો
સુનાવણી દરમિયાન હાર્દિક પટેલના વકીલે કહ્યું હતું કે હાર્દિક ઉપવાસ કરી રહ્યો હોવાથી કોર્ટમાં આવવાની હાલતમાં નથી. ત્યારે હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા સહિતના આરોપીઓ સામે ચાર્જફ્રેમ તૈયાર કરવામાં આવશે. કોર્ટે હાર્દિકની સતત ગેરહાજર રહેવાની બાબતની ગંભીર નોંધ પણ લીધી છે.

કિડની અને હ્રદયને અસર થઈ શકે
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ છેલ્લા 6 દિવસથી અમરણાંત અનસન પર બેસી ગયો છે. આજે હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યો છે. તબીબી તપાસ કર્યા બાદ ડૉક્ટરોએ જણાવ્યું કે હાર્દિક પટેલના શરીરમાં નબળાઈ આવી છે. 6 દિવસમાં હાર્દિકનું સાડા ચાર કિલો વજન ઘટ્યું છે. સોલા સિવિલની તબીબી ટીમ દ્વારા હાર્દિકનું ચેક-અ કરાયું હતું. ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે સતત ઉપવાસને કારણે હાર્દિકની કિડની અને હ્રદયને અસર થઈ શકે છે.













Click it and Unblock the Notifications
