બોટાદ લઠ્ઠાકાંડઃ ઝેરી દારુ પીવાથી 23 લોકોના મોત, 40 સારવાર હેઠળ, 5 ગંભીર
ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી 23 લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો હૉસ્પિટલમાં દાખલ છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અમદાવાદઃ ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી 23 લોકોના મોત થયા છે. જ્યારે 40થી વધુ લોકો હૉસ્પિટલમાં દાખલ છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 5 લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. અહેવાલ મુજબ બોટાદ, ભાવનગર, અમદાવાદમાં લોકોને દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હૉસ્પિટલમાં દાખલ ઘણા લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ગુજરાતના અમદાવાદ અને બોટાદના ગામડાઓમાં ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થયા છે. પોલિસે જણાવ્યુ કે ગામમાં ઝએરી દારૂ વેચવા બદલ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના બાદ રાજ્ય સરકારે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. આ મામલાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેનુ નેતૃત્વ નાયબ પોલિસ અધિક્ષક કરશે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે પરંતુ જે રીતે આ ઘટના પ્રકાશમાં આવી છે તેનાથી ગુજરાતમાં દારૂબંધીનો પર્દાફાશ થયો છે.
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે પોલિસની મદદથી અને ભાજપના નેતાઓના આશ્રયમાં રાજ્યમાં દારૂનો જથ્થો પૂરો પાડતા ગેરકાયદેસર દારૂ વેચનારાઓને ધન્યવાદ. આ દારૂ વેચનારાઓ પાસેથી પોલિસ લાંચ લે છે. વળી, આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ માત્ર કાગળ પર છે. જો આપ સત્તામાં આવશો તો અમે આ પ્રતિબંધને વાસ્તવમાં લાગુ કરીશુ. બીજી તરફ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતુ કે હું સરકારને અપીલ કરવા માંગુ છુ કે રાજ્યમાં કાયદાનો કડક અમલ કરાવો, રાજ્યમાં ખાસ કરીને ગામડામાં ગેરકાયદેસર દારૂ બંધ કરો.
29 લોકો ભાવનગર સર ટી. હૉસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. જેમાંઝી રોજીદ ગામના 5 લોકો, ચંદરવા ગામના 2 લોકો, આકરુ ગામના 3 લોકોનો સમાવેશ થાય છે. લઠ્ઠાકાંડમાં આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. બરવાળાથી ઝેરી કેમિકલ જપ્ત કરવામાં આવ્યુ છે અને એટીએસ દ્વારા રાજુ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં લાંભાની કેમિકલ ફેક્ટરીમાંથી બરવાળામાં સંજય નામના વ્યક્તિને કેમિકલ સપ્લાય કર્યુ હતુ.
બોટાદ લઠ્ઠાકાંડના ઘેર પ્રત્યાઘાત પડ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે બોટાદ પોલિસ પાસે જવાબ માંગ્યો છે. ઘટનામાં દારુ વિક્રેતા અને ઉત્પાદક બંનેની ધરપકડ કરવામાં આવી છે. ઘટનામાં પિન્ટુ નામના વ્યક્તિની પોલિસે અટકાયત કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે તે આ કેમિકલથી દારુ બનાવતો હતો. પિન્ટુ અમદાવાદથી કેમિકલ લાવતો હતો અને લોકલ બુટલેગરને મોકલતો હતો. જો કે, આ કેમિકલ અમદાવાદના કયા સ્થળેથી અને કોની પાસેથી લવાતુ હતુ તે અંગે જાણી શકાયુ નથી. હાલમાં પોલિસ વધુ તપાસ કરી રહી છે. બીજી તરફ કેમિકલ પણ ગાંધીનગર તપાસ માટે મોકલી દેવાયુ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
