ખરોડમાં PM મોદીએ આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપી, વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો!
દાહોદ જિલ્લાના ખરોડમા પીએમ મોદીની નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આદિવાસી મહાસંમેલનનું આયોજન કરાયુ હતું. અહીં પીએમ મોદીનું સ્થાનિક નેતાઓ આદિવાસીઓની પરંપારિક કોટી અને સાફો પહેરાવી સ્વાગત કરાયુ હતું.
દાહોદ : દાહોદ જિલ્લાના ખરોડમા પીએમ મોદીની નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આદિવાસી મહાસંમેલનનું આયોજન કરાયુ હતું. અહીં પીએમ મોદીનું સ્થાનિક નેતાઓ આદિવાસીઓની પરંપારિક કોટી અને સાફો પહેરાવી સ્વાગત કરાયુ હતું. અહીંથી પીએમ મોદીએ વડાપ્રધાન મોદીએ રૂ.21809.79 કરોડના વિકાસ કામો ખુલા મુક્યા હતા.
પીએમ મોદીએ ઘરે ઘરે પાણી, નરેગા યોજના, હફેશ્વર યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના તેમજ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ હતું ગુજરાતના આદિવાસી વિસ્તારને મેક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ વ્યક્ત કરી હતી. વડાપ્રધાને યોજનાના લાભાર્થીઓને સરકારની યોજનાઓના લાભ થકી તેમના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગેની માહિતી મેળવી હતી.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ જશવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, જીતુ ચૌધરી, કુબેર ડિંડોર, સાંસદ પ્રભુ વસાવા, રતનસિંહ રાઠોડ, રંજનબેન ભટ્ટ, રમીલા બારા, મનસુખ વસાવા, કે.સી.પટેલ, ગીતા રાઠવા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.