ભારત ખેત કચરામાંથી 16000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકે

જૈન તેમજ ગુજરાત એનર્જી ડેવલોપમેંટ એજન્સી (GEDA)ના નિયામક ડી પી જોષીએ ખેત કચરા (બાયોમાસ)માંથી વીજ ઉત્પાદન તેમજ આ ક્ષેત્રમાં અમલીકરણ હેઠળના પ્રોજેકટસ અને સાફલ્યગાથાઓ વિષયક બે દિવસની કાર્યશાળાનો શુભારંભ કરાવ્યો હતો. જીડા, યુએનડીપી, જીઇએફ અને એમએનઆરઇ આયોજિત બે દિવસની કાર્યશાળમાં બાયોમાસ આધારિત વીજ ઉત્પાદન આડેના અવરાધો, તેના નિવારણના ઉપાયો, તેને લગતી નીતિઓમાં કરવા યોગ્ય સુધારા-વધારા, આ ક્ષેત્રના વિકાસ માટે નવા સાહસિકોની ઓળખ અને પ્રોત્સાહન તેમજ કમ્બ્યુશન અને કો-જનરેશન ટેકનોલોજીસ આધારિત ગ્રીડ કનેકટેડ પાવર જનરેશનનો વિકાસ જેવી બાબતોનો વિચાર વિમર્શ થશે.
ગુજરાતમાં પવન (3093 મેવો), સૌર (857 મેવો) અને બાયોમાસ (31.2 મેવો) ઊર્જાના આધારે કુલ 3985 મેવો જેટલું પુન:પ્રાપ્ય વીજ ઉત્પાદન થઇ રહયું છે તેવી માહિતી આપતા જીડાના નિયામક ડી પી જોષીએ જણાવ્યું હતું કે રાજમયાં બાયોમાસ કમ્બુશન ટેકનોલોજી આધારિત વીજ પ્લાન્ટસ જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કાર્યરત છે. વડોદરા જિલ્લાના સંખેડામાં ગેસીફાયર ટેકનોલોજી આધારિત બાયોમાસ પાવર પ્લાન્ટ ચાલુ છે જેમાં ટેકનાલોજીને અને ઇનોવેશન્સને દાખલારૂપ સફળતા મળી છે.
જીડા સંસ્થાકીય બાયોમાસ પ્લાન્ટસની સ્થાપના માટે 75 ટકા જેટલી સહાય આપે છે. બિન પરંપરાગત અને પુર્નપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રોનો વિકાસ, અમલીકરણ અને પ્રચલનમાં જીડા દેશમાં પ્રથમ કક્ષાની સંસ્થા ગણાય છે અને તેના મોડેલ પ્રમાણે અન્ય રાજયોએ પણ સંસ્થાઓની સ્થાપના કરી છે. ગુજરાત પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદનમાં દેશમાં બીજાક્રમે અને સૌર ઊર્જા દ્વારા વીજ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે.
ઉલ્લેખનીય છે કે સન 2020 સુધીમાં દેશના કુલ ઊર્જા ઉત્પાદનમાં પરંપરાગત સંસાધનો આધારિત ઊર્જા અને બિન પરંપરાગત સંશાધનો આધારિત ઊર્જા ઉત્પાદનનું પ્રમાણ 80:20 જેટલું હોય તેવી અપેક્ષા રાખવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં આ પ્રમાણ 86:14 જેટલું છે. એટલે ગુજરાત આ લક્ષ્યાંક સિદ્ધ કરવાની ખૂબજ સમીપ પહોંચી ગયું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
