કેજરીવાલ આવતીકાલે બાપુનગરમાં સભા સંબોધશે
ગાંધીનગર, 7 માર્ચ: ઓક્ટોબર 2012માં આમ આદમી પાર્ટીની એક રાજકીય પક્ષ તરીકે રચના થયા બાદ અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં આ પ્રથમ જનસભા છે. જેને સફળ બનાવવા માટે સમગ્ર ગુજરાતના આપ કાર્યકરો રાત-દિવસ એક કરી રહ્યાં છે.
આ જનસભા શનિવાર 8 માર્ચના રોજ બપોરે 4 વાગે બાપુનગરના વિજયચોક ખાતે યોજાશે. ચુંટણી કમિશ્નર અને સ્થાનિક પ્રશાસનની મંજુરી મળશે તો આમ આદમી પાર્ટીના ગુજરાત એકમે પણ અરવિંદ કેજરીવાલના એક રોડ શો નો કાર્યક્રમ ઘડી નાખ્યો છે આ રોડ શો આમ આદમી પાર્ટીના આયોજન નગર પાલડી ખાતેના કાર્યાલયથી શરૂ થઇ અંજલી ચાર રસ્તા,પાલડી ચાર રસ્તા,જમાલપુર બ્રીજ,ગુલાબી ચાર રસ્તા,એલ.જી ચોકી, નાગરવેલહનુમાન, માલિકસબાન સ્ટેડીયમ રોડ જેવા સ્થળોએથી પસાર થઇ બપુનાગર ખાતેના સભા સ્થળે પહોંચશે.
અરવિંદ કેજરીવાલ તથા પાર્ટીના અન્ય નેતાઓને તેમના ચાર દિવસની ગુજરાત પ્રવાસ દરમિયાન મળેલા પ્રતિસાદે નરેન્દ્ર મોદીના ગુજરાતના વિકાસની પોલ ઉઘાડી કરી દિધી હોવાનો દાવો કર્યો છે. ગુજરાતનો વિકાસ માત્ર મઠી ભર ઉદ્યોગપતિઓનો જ છે આમ જનતા નો નહિ આમ આદમી પાર્ટી ધ્વારા તેનો પર્દાફાશ થતાં જ હતાશ થયેલા અને હચમચી ગયેલા ભાજપી નેતાઓએ અફવાઓ ફેલાવવાનું, ગેરમાર્ગે દોરવાનું અને ધાક-ધમકી આપવાનું શરુ કર્યું હોવાનો આરોપ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.

આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે અતિથીદેવો ભાવોનું જોર શોરથી ગણું ગાતા ગુજરાતના મુખ્યમંત્રીને લોકોની સમસ્યા લઈને નીકળેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીને મળવાનો પણ સમય નથી.
આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓએ હવે એવી અફવા ફેલાવાનું શરુ કર્યું છે કે કેજરીવાલ ગુજરાત છોડી ગયા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કેજરીવાલ પોતાના બે મહિના પેહલા નિર્ધારિત થયેલા કાર્યક્રમ મુજબ રાજસ્થાન પત્રિકાના એક કાર્યક્રમમાં ભાગ લેવા થોડા કલાકો માટે તેવો જયપુર ગયા છે. આજે રાત્રે તેવો દિલ્હી જઈને ઇન્ડિયા ટુડેના કાર્યક્રમ માં ભાગ લેશે અને વહેલી સવારે અમદાવાદ પરત ફરશે આખો દિવસ અમદાવાદમાં હશે અને નક્કી થયેલા સમયે જનસભા પણ સંબોધશે તથા આગામી ચૂંટણીમાં ભાજપને આનો સખત જવાબ મળશે એ નક્કી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
