મહેશ શાહનો 9 કલાકની પૂછપરછ બાદ છૂટકારો, આવતીકાલે ફરીથી લેવાશે નિવેદન
13,860 કરોડ રુપિયા જાહેર કરનાર અમદાવાદના વેપારી મહેશ શાહનો 9 કલાકની પૂછપરછ બાદ છૂટકારો કરવામાં આવ્યો છે...
આઇડીએસ સ્કીમ હેઠળ 13,860 કરોડ રુપિયા જાહેર કરનાર અમદાવાદનો વેપારી મહેશ શાહ શનિવારે મીડિયા સમક્ષ હાજર થયા બાદ સરખેજ પોલિસે તેની ધરપક્ડ કરી હતી. ત્યારબાદ તેની સઘન પૂછપરછ શરુ કરવામાં આવી હતી. 9 કલાકની પૂછપરછ બાદ રવિવારે સવારે તેનો છૂટકારો કરવામાં આવ્યો હતો.

9 કલાકની સઘન પૂછપરછ બાદ મહેશ શાહની અપીલ પર ડોક્ટરોની દેખરેખ હેઠળ તેને જમવાનું આપ્યા બાદ આરામ આપવામાં આવ્યો હતો. આવકવેરા અધિકારીએ જણાવ્યુ હતુ કે મહેશ શાહનું આંશિક નિવેદન લેવામાં આવ્યુ છે. હાલમાં તેમને છોડી દેવામાં આવ્યા છે. આવતીકાલે તે આવકવેરા વિભાગની ઓફિસમાં 11.30 કલાકે ફરીથી નિવેદન આપવા માટે હાજર થશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે મહેશ શાહે સર્ચને લગતા સવાલોના જવાબો આપ્યા છે. હજુ સુધી કોઇના નામ જણાવ્યા નથી. તે પૂછપરછમાં સહયોગ આપી રહ્યા છે.
આ તરફ મહેશ શાહના ઘર પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી પરિવારને 24 કલાક સુરક્ષા આપવામાં આવી છે. તેમના ફ્લેટ મંગલ જ્યોતમાં કોઇ પણ વ્યક્તિની સઘન પૂછપરછ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
